Western Times News

Gujarati News

પશુ દવાખાનામાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા સફાઈ કામદારોને  ભૂખ હડતાલ પર પણ અધિકાર નહિ…?  : પોલીસે ડિટેઇન કર્યા 

અરવલ્લી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનનમાં સૌથી મહત્વનો ફાળો છે એવા સફાઈ કામદારોની સમગ્ર દેશમાં દયનિય હાલત છે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સીંગ હેઠળ  સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીઓ શોષણ કરી રહી છે

દેશમાં બેરોજગારીના દરે માજા મૂકી છે ત્યારે અરવલ્લી જીલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ  બજાવતા ૧૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિના થી છુટ્ટા કરી દેવામાં આવતા તમામ કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે.

સફાઈ કામદારોએ આઉટ સોર્સીંગ એજન્સી મારફતે ફરજ પર પરત લેવામાં આવેની માંગ જવાબદાર અધિકારીઓને કરવા છતાં ટેન્ડરિંગ ના બહાના બનાવતા છેલ્લા ૪   મહિનાથી નોકરી વિહોણા બનેલા સફાઈ કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી આગળ ૨૦ જાન્યુઆરીને સોમવારથી કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાલ પર ઉતારવાની મંજૂરી જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી અને મોડાસા મામલતદાર પાસે માંગતા વહીવટી તંત્રએ મંજુરીનો નનૈયો ભણતા સોમવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ભૂખ હડતાલ માટે પહોંચે તે પહેલા જ મોડાસા ટાઉન પોલીસે ડિટેઇન કરતા સફાઈ કામદારોમાં ભારે રોષ ફેલાયો હતો

ગુજરાત વાલ્મીકિ સંગઠનના પ્રમુખ લાલજી ભગતના જણાવ્યા મુજબ જીલ્લાના વિવિધ પશુ દવાખાનાઓમાં ૧૦૦ થી વધુ સફાઇ કર્મચારીઓ વર્ષોથી આઉટ સોર્સીંગ એજન્સી મારફતે  કામ કરી રહ્યા છે. તમામ કર્મચારીઓને ટેન્ડર પાસ થયું નથી ના બહાના હેઠળ ઈરાદા પૂર્વક નોકરી માંથી છુટા કરી દેવાતા પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે ચિંતા સતાવી રહી છે જીલ્લામાં દલિતો પર અત્યાચારો પણ વધી રહ્યા છે તેમ છતાં કોઈ અધિકારી ધ્યાન દોરાતા નથી સફાઈ કામદારોએ નોકરીમાં પરત લેવામાં આવેની ન્યાયની માંગ સાથે અચોક્કસ મુદતની ભૂખ  હડતાલ પર ઉતરવાની માંગણી પણ સ્વીકારવામાં નથી આવી અને હડતાલ પૂર્વે સફાઈ કર્મીઓને ડિટેઇન કરી લઈ તેમના હક્ક માટેની લડાઈ પર તરાપ મારવાના પ્રયાસ ને સાંખી લેવામાં નહિ આવેનું જણાવ્યું હતું અને આગામી સમયમાં  ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.