Western Times News

Gujarati News

અમદાવાદની ૯ ખાનગી સ્કુલો સામે RTE બાળકોના પ્રવેશ અંગે ફરીયાદ

અમદાવાદની નવ શાળાઓમાં આરટીઈનાં બાળકોને સવાર પાળીમાં પ્રવેશ ન અપાતો હોવાની ફરિયાદ -તપાસમાં જ પોલપોલ, બે ખાનગી શાળામાં આરટીઈના બાળકોની સંખ્યા જ નહીં, ‘કેટલાક’ શબ્દનો પ્રયોગ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની ૯ જેટલી ખાનગી સ્કુલોમાં આરટીઆઈના બાળકોને સવાર પાળીમાં પ્રવેશ ન અપાતો હોવાની ફરીયદો વિધાનગૃહની પ્રશ્નોતરીમાં સાથે આવી છે. વિપક્ષે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે ફરીયાદો ખોટી હોવાનો દાવો કર્યો હતો.

સરકારે તેના જવાબમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગની તપાસમાં સ્કુલો દ્વારા સવાર અને બપોર એમ બંને પાળીમાં વિધાર્થીઓને પ્રવેશ અપાતો હોવાનું જણાવ્યું છે. ફરીયાદો બાદ ઘરેથી તપાસમાં જ પોલંપોલ જોતા મળી હોવાની આક્ષેપ થયો છે.

કારણ કે, અમદાવાદ શહેરની ૯ ખાનગી સ્કુલોની ફરીયાદ આવ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા તેની તપાસ કરાવવામાં આવી હતી. ૯ સ્કુલો પૈકી ૧ ખાનગી સ્કુલે માત્ર સવાર પાળીમાં ચાલે છે.

જયારે અન્ય એક સ્કુલમાં સવાર પાળીમાં ગુજરાતી માધ્યમ અને બપોર પાળીમાં અંગ્રેજી માધ્યમ ચાલે છે. એ સિવાયની ૭ ખાનગી સ્કુલો પૈકી પ સ્કુલોમાં આરટીઈ અંતર્ગત કેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. એટલું જ નહી સવાર પાળીમાં કેટલા વિધાર્થી અને બપોર પાળીમાં કેટલા વિધાર્થી અભ્યાસ કરે છે.

તેનો સ્પષ્ટ આંકડો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ એ સિવાયની અમદાવાદની ખ્યાતનામ અને ભુતકાળમાં અનેક વખત વિવાદમાં આવેલી બે ખાનગી સ્કુલો જયાં વિધાર્થીઓની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં છે. તેમ છતાં આ સ્કુલમાંઆરટીઈ હેઠળ કેટલા બાળકો અભ્યાસ કરે છે.

અને તેમાંથી સવાર પાણીમાં કેટલા અને બપોર પાળીમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે. તેનો સ્પષ્ટ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ બે સ્કુલોમાં માત્ર કેટલાક બાળકો બપોર પાળીમાં અભ્યાસ કરતો હોવાનો ગોળ ગોળ જવાબ રજુ કરવામાં આવ્યો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.