અમૃતા શેરગિલની બાયોપિકમાં પ્રિયંકા ચોપરાનો કેમિયો હશે
મુંબઈ, પ્રિયંકા ચોપરા અમૃતા શેરગિલની બાયોપિકમાં કેમિયોમાં જોવા મળશે. તાજેતરમાં પ્રિયંકા અમૃતસરમાં જોવા મળી હતી. ત્યાં તેણે સુવર્ણ મંદિરમાં સેવા આપી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે પ્રિયંકા આ કેમિયોના શૂટિંગ માટે જ અમૃતસર ગઈ હતી.
મીરા નાયર આ બાયોપિક બનાવી રહી છે અને તેણે પ્રિયંકાને આ કેમિયો માટે ખાસ આગ્રહ કર્યાે હતો. પ્રિયંકા ‘વારાણસી’નું શૂટિંગ કરવા હૈદરાબાદ આવી હતી. ત્યાંથી તે અમૃસર પહોંચી હતી.SS1MS
