Western Times News

Gujarati News

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત

૫ાંચ લોકોનાં મોત

ખીણમાં ખાબકેલા ૯ લોકોમાંથી ૪ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા

ભાવનગર, હિમાચલ પ્રદેશથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મનાલી ફરવા ગયેલા ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માહિતી અનુસાર વહેલી સવારે મનાલીથી બેલા જતી વખતે ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઇને ખીણમાં ખાબકી ગઇ હતી. કારમાં સવાર કુલ ૯ લોકો ખીણમાં ખાબકી ગયાની માહિતી સામે આવી હતી. જેમાંથી ૪ને તો બચાવાયા પણ ૫ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસે ગયેલા ભાવનગરના એક ગુજરાતી પરિવાર માટે પ્રવાસનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે.

મનાલીથી બેલા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં ખાબકતા હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પરિવારના ૫ સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત વહેલી સવારે તે સમયે થયો જ્યારે પરિવાર મનાલીથી બેલા તરફ આગળ વધી રહ્યો હતો. પહાડી રસ્તા પર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં જઈ પડી હતી. કારમાં કુલ ૯ લોકો સવાર હતા.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ખીણમાં ખાબકેલા ૯ લોકોમાંથી ૪ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, અન્ય ૫ લોકોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.મૃતકો ભાવનગરના રહેવાસી હોવાની પુષ્ટિ થતા જ ભાવનગર અને ખાસ કરીને સિંધી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ કરી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.