Western Times News

Gujarati News

કોરોના ઈફેક્ટ : ભરૂચ નગરપાલિકા સંચાલિત બગીચાઓ પણ બંધ.

ભરૂચકોરોના ની દહેશતના પગલે ભરૂચ નગરપાલિકા સંચાલિત તથા અન્ય ખાનગી બગીચાઓ પણ ૩૧મી માર્ચ સુધી બંધ રાખવા માટેની સુચના આપવામાં આવતા જ બગીચાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે તંત્ર પણ સજ્જ થઈ ચૂકી છે.ભરૂચ નગરપાલિકા સંચાલિત વિવિધ વિસ્તારોમાં આવેલા બગીચાઓ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ વધુ પ્રમાણમાં એકત્ર થતી વેરા ફેલાતો હોવાના પગલે ભરૂચ નગરપાલિકા સંચાલિત તમામ બગીચાઓ તથા ખાનગી બગીચાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ દાદાભાઈ નો બગીચો,બાલવાટીકા બગીચોશક્તિનાથ નજીકનો જે.બી.મોદી પાર્ક સહિતના અનેક બગીચાઓ બંધ કરવામાં આવ્યા છે.જે આગામી ૩૧મી માર્ચ સુધી બગીચામાં કોઈ અવરજવર ન કરે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.