Western Times News

Gujarati News

અમદાવાદ: કરફ્યુ હટતાં જ લોકડાઉનનો ભંગ

અમદાવાદ,

અમદાવાદ સહિત રાજ્યના સુરત તથા રાજકોટમાંથી પણ આજે સવારે છ વાગ્યાથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યું છે. જો કે આશરે દસ દિવસોથી ઘરમાં બંધ રહેલાં દિલ્હી દરવાજા નજીક નાગરીકો કરફ્યુ હટતાં જ બહાર આવી ગયા હતાં. નાગરિકોએ મોં પર માસ્ક લગાવ્યું હતું. પરંતુ સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવ્યું નહોતું. નાગરિકોની બેદરકારીને કારણે કોરોનાનો ભય યથાવત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવતાં પોઝિટિવ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં આવે છે અને તેમાં પણ કોટ વિસ્તાર મોખરે હોવાથી કરફ્યુ નાખવાની જરૂર પડી હતી. પરંતુ લોકો વાહનો લઈને અને પગપાળા બહાર નીકળી પડતાં કરફ્યુનો કદાચ કોઈ અર્થ સરવાનો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.