Western Times News

Gujarati News

બીજી બેઠક જીતવાનો કોંર્ગેસનો દાવોઃ ગણિત ઉપર સસ્પેન્સ

અમદાવાદ,  ગુજરાત કોંગ્રેસને તેના ધારાસભ્યોના રાજીનામાના રૂપે આંચકો મળી રહ્યો છે તેમ છતાં હજી પણ આના લીધે પાર્ટીની રાજયસભામાં બેઠકની આશા ઓછી થઈ નથી. ગુજરાત કોંગ્રેસનો દાવો છે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેને બે બેઠકો મળશે અને આ માટે તેને એક જ મતની જરૂર છે. જોકે, પાર્ટીએ તે કેવી રીતે શક્ય છે તે સમજાવવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત કેસના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, ‘અમને બીજી બેઠક મેળવવા માટે માત્ર એક જ મતની જરૂર છે.

અમે નંબર પર ચર્ચા કરીશું નહીં કારણ કે તે અમારી વ્યૂહરચનાનો એક ભાગ છે. તેમણે ૨૦૧૭ની રાજ્યસભામાં અહેમદ પટેલ કેસનું ઉદાહરણ આપતાં કહ્યું કે અમે નિષ્ક્રિય થઈને બેઠાં નથી, સંખ્યા પર કામ કરી રહ્યા છીએ. ગુજરાત વિધાનસભાએ ૨૦૧૭માં ૭૭ બેઠકો જીતી હતી, પરંતુ હવે પાર્ટીની તાકાત ૬૫ પર આવી ગઈ છે. માર્ચથી ૮ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી કોંગ્રેસે તેના બાકીના ધારાસભ્યોને અંબાજી, વડોદરા અને રાજકોટ ખાતેના રિસોર્ટમાં મોકલ્યા છે. કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. પ્રથમ પસંદગીના આધારે, ગોહિલને મતો મળશે, પરંતુ બીજી બેઠક માટે ભાજપ દ્વારા નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હોવાથી કોંગ્રેસનો માર્ગ મુશ્કેલ બન્યો છે. બીજી બેઠક માટે કોંગ્રેસની તમામ રણનીતિ હવે ભરતસિંહ સોલંકીની દાવપેચ અને તેમના પિતા અને ભૂતપૂર્વ સીએમ માધવસિંહ સોલંકીની સારી છબિ પર આધાર રાખે છે. શરૂઆતમાં કોંગ્રેસે રાજીવ શુક્લાને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસના વિરોધને કારણે તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

આ પછી પાર્ટીએ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભામાં હવે કુલ ૧૭૨ સભ્યો છે અને ૧૦ બેઠકો ખાલી છે. આપને જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણી ૧૯ જૂને ગુજરાતની ૪ બેઠકો પર યોજાવાની છે. આમાંથી ત્રણ બેઠકો હાલમાં ભાજપ અને એક બેઠક કોંગ્રેસનું પ્રભુત્વ છે. રાજ્યસભાની ૪ બેઠકો માટે ભાજપના ત્રણ ઉમેદવારો અને કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. અત્યાર સુધી આંકડાકીય દ્રષ્ટિએ ભાજપ માત્ર બે બેઠકો જીતી શક્યું હોત, પરંતુ કોંગ્રેસના ૩ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે ચોથી બેઠક પર પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ હવે તેના ધારાસભ્યોને કારણે માત્ર એક બેઠક બચાવવાની વિચારણા કરી રહી છે. એટલે કે શક્તિસિંહ અને ભરતસિંહમાંથી એકનું બલિદાન આપવું પડે એવી સ્થિતિ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.