Western Times News

Gujarati News

આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 31 જુલાઇ 2020 કરવામાં આવી

દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19) મહામારીના કારણે તમામ ક્ષેત્રોમાં કરદાતાઓ કાનૂની અને નિયમનકારી અનુપાલનો પૂર્ણ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેને ધ્યાનમાં રાખીનેસરકારે કરવેરા અને અન્ય કાયદા (ચોક્કસ જોગવાઇઓની રાહતવટહુકમ2020 31 માર્ચ 2020ના રોજ બહાર પાડ્યો હતો જેમાં વિવિધ મર્યાદાઓની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે

વિવિધ અનુપાલનો માટે કરદાતાઓ રાહત આપવાના આશય સાથેસરકારે 24 જૂન 2020ના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છેનાણાકીય વર્ષ 2018-19 માટે મૂળ તેમજ સુધારેલ આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 31 જુલાઇ 2020 કરવામાં આવી છેનાણાકીય વર્ષ 2019-20 માટે રીટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે.

 નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપવાના આશય સાથેએવા કરદાતાઓ કે જેમની સ્વઆકારણી કર જવાબદારી રૂ. 1 લાખ સુધી હોય તેવા કિસ્સામાં મુદત લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છેજોકેએવી સ્પષ્ટતા કરવામાં આવી છે કેએવા કરદાતાઓ કે જેમની સ્વઆકારણી કર જવાબદારી રૂ. 1 લાખથી વધુ હોય તેવા કિસ્સામાં મુદત લંબાવવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.