Western Times News

Gujarati News

જ્યોતિરાદિત્યની એન્ટ્રી સાથે ભાજપમાં આઠ મહારાજા થયા

રાજવીઓને રાજકારણમાં લાવવા વગોવાયેલી કોંગ્રેસના પગલે જ ભાજપે પણ રાજવીઓની વગનો લાભ ઊઠાવ્યો
નવી દિલ્હી,  ભારત સ્વતંત્ર થયું ત્યારથી અનેક જૂના ભારતીય રાજવીઓના સભ્યોએ પણ રાજકારણમાં પોતાનો ભાગ ભજવ્યો છે. રાજ પરિવારોના સભ્યોએ બંધારણ સભાની સાથે ભારતીય રાજકારણમાં વધુ રસ લેવાનું શરૂ કર્યું અને તે પહેલાં પણ ઘણા રાજાઓએ આઝાદીની લડતમાં મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ, આઝાદી પછી, મોટાભાગના રાજાઓ અને રાજ પરિવારના સભ્યો માટે લોકસભા કરતા રાજ્યસભા દ્વારા દેશનું રાજકારણ કરવું વધુ સરળ બન્યું.

તે સાંકળ અટકી નથી. જો કે, રાજ પરિવારના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાયા છે અને લોકસભામાં પહોંચ્યા છે અને અન્ય સાંસદોની તુલનામાં તેમની જવાબદારીઓમાં કોઈ ઘટાડો દર્શાવ્યો નથી. પરંતુ, અત્યારે અમે રાજ્યસભામાં હાજર રાજવી પરિવારના સભ્યો વિશે વાત કરી રહ્યા છીએ. સંસદમાં ભાજપમાં કુલ આઠ મહારાજાઓ છે.

ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને લેશેમ્બા સનાજાઓબાની તાજેતરની રાજ્યસભાની ચૂંટણીઓ દ્વારા સંસદમાં પ્રવેશ કરાવીને આ પરંપરાને જાળવી રાખી છે, જે ભારતીય સંસદમાં સ્વતંત્રતા પછીથી ચાલતી આવે છે. આ બંનેના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત પૂર્વ શાહી પરિવારના સભ્યોને ઉપલા ગૃહ દ્વારા લોકશાહીના મંદિરમાં મોકલવાની પરંપરા જાળવી રાખી છે, જેના માટે એક સમયે કોંગ્રેસની ચર્ચા રહેતી હતી.

નોંધપાત્ર વાત એ છે કે સિંધિયા ગ્વાલિયરના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને લેશેમ્બા સનાજાઓબાને મણિપુરના રાજા કહેવાય છે.  રાજ્યસભામાં હાલમાં ભાજપના આવા ૬ સાંસદો છે, જે પૂર્વ ભારતીય રાજવી પરિવારના વંશજ છે. તેમાંથી ૫ પ્રથમ વખત ઉચ્ચ ગૃહના સભ્ય બન્યા છે અને ચાર એવા છે કે જેમણે ૨૦૧૯ માં ભાજપના ફરીથી સરકાર બન્યા બાદ બાદ કમળ અપનાવ્યો હતો. બંને નવા સાંસદોની રાજકીય પૃષ્ઠભૂમિ કોઈકને કોઈક શાહી પરિવાર સાથે સંકળાયેલી છે બાકીના સાંસદો અંગે જાણકારી મેળવવા જેવી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનાં દાદી અને ગ્વાલિયરની રાજમાતા વિજયા રાજે સિંધિયા ભાજપના સ્થાપકોમાં સામેલ હતા અને જનસંઘના સમયથી જ જમણેરી વિચારધારાના રાજકારણને બુલંદ કરી ચુક્યા છે. જ્યારે મણિપુરન રાજા કહેવાતા સનાજાઓબા પાસે રાજકીય વારસો નથી કે રાજકારણનો તેમને કોઈ અનુભવ પણ નથી.

પરંતુ, તેમણે ‘કમળ’ હાથ પકડ્‌યો છે, તો પછી તેમને પણ રાજાશાહીના વિચારોની દુનિયામાંથી બહાર જઈને લોકશાહી પદ્ધતિઓ અનુસાર તેમના રાજ્યની પ્રજાની સેવા કરવાની તક મળી છે. તેમણે કહ્યું, ‘આ પહેલી વખત છે જ્યારે કોઈ રાજકીય પક્ષે મણિપુરના રાજાનું સન્માન કરતાં મને રાજકીય પદની ઓફર કરી છે અને મેં તે ઓફર સ્વીકારી હતી … હું રાજકારણ આવવાનું વિચારી રહ્યો ન હતો, કારણ કે પહેલાં કોઈએ મારો સંપર્ક કર્યો ન હતો.

પહેલા જૂન, ૨૦૧૬માં ખુદ ભાજપે રાજસ્થાનના ડુંગરપુરના રાજ પરિવારના હર્ષવર્ધન સિંહનું નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરીને તેમને પણ ચોંકાવી દીધા હતા. તેઓ ક્રિકેટ જગતના જાણીતા એડમિનિસ્ટ્રેટર રાજસિંહ ડુંગરપુરના ભત્રીજા પણ છે. આ સમય દરમિયાન, બીજેપીએ બીજા રાજ પરિવારને રાજ્યસભામાં પ્રવેશવાની તક આપી અને તેઓ સંભાજી રાજે છે, તેઓ કોલ્હાપુરના છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે.

સંભાજી તે સમયે મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા અને પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. પાછળથી, ભારતીય જનતા પાર્ટીને પણ મહારાષ્ટ્રના શિવાજી મહારાજના બીજા વંશ, ઉદયનરાજે ભોંસલેને, ઉપલા ગૃહમાં પ્રવેશવાની તક આપી. ગયા વર્ષે જ્યારે અમેઠીના મહારાજા, એક સમયની ગાંધી-નહેરુ પરિવારની પરંપરાગત બેઠક હતી, અને કોંગ્રેસના પહેલા પરિવારની ખૂબ નજીકના સંજયસિંહે કોંગ્રેસ છોડી દીધી હતી અને રાજ્યસભાની સદસ્યતા પણ છોડી દીધી હતી અને ભાજપમાં જોડાયા હતા. પાર્ટી દ્વારા તેમને ફરીથી રાજ્યસભામાં લાવવામાં આવ્યા હતા.

એવું નથી કે રાજ્યસભામાં ભાજપે માત્ર રાજ પરિવારના લોકોને સ્થાન આપ્યું છે. પક્ષની ટિકિટમાંથી રાજવી પરિવારોના ઘણા વંશજો પણ સીધા લોકસભા લડીને સંસદ પહોંચ્યા છે. છેલ્લી વખત રાજસ્થાનના રાજ પરિવારના બે સભ્યોએ કમળના ચિહ્ન પર લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો, જેમાં ધોલપુરના દુષ્યંત સિંહ અને જયપુરના દીયા સિંહનો સમાવેશ થાય છે.  જ્યારે કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના રાઘોગઢના પૂર્વ રાજા દિગ્વિજય સિંહને ફરી એકવાર રાજ્યસભામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે, કાશ્મીરના ડોગરા વંશના રાજા કર્ણ સિંહ હમણા સુધી ઉપલા ગૃહના સભ્ય રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.