Western Times News

Gujarati News

વિકાસે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં

નવી દિલ્હી: ૮ પોલીસર્મી વિકાસ દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પણ ગેંગસ્ટર વિકાસ દુબેની જ્યારે મધ્યપ્રદેશ પોલીસે ગઈકાલે ધરપકડ કરી અને પૂછપરછ કરી તો તેણે ૮ પોલીસકર્મીઓની ઘાતકી હત્યા પર મોટો ખુલાસો કર્યો હતો. અત્રે જણાવવાનું કે વિકાસ દુબેની ગઈ કાલે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરથી ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછમાં વિકાસે જણાવ્યું હતું કે જઘન્ય અપરાધને અંજામ આપ્યા બાદ ઘરની બરાબર બાજુમાં આવેલા કૂવા પાસે પાંચ પોલીસકર્મીઓની લાશોને એક ઉપર એક રાખવામાં આવી હતી. જેથી કરીને તેમને બાળીને પુરાવા નષ્ટ કરી શકાય. વિકાસે કહ્યું હતું કે તેને શહીદ થયેલા પોલીસ ઓફિસર દેવેન્દ્ર મિશ્રા સાથે જરાય બનતું નહતું. આ માટે આગ લગાવવા ઘરમાં પહેલેથી ઈંધણ જમા કરી રાખવામાં આવ્યું હતું. બધા મૃતદેહો બાળી મૂકવાની યોજના હતી પરંતુ લાશોને જમા કર્યા બાદ પોલીસફોર્સ આવી જતા તે બાળવા માટે તક જ ન મળી અને ફરાર થઈ ગયાં. તેણે પોતાના તમામ સાથીઓને અલગ અલગ ભાગવાનું કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.