Western Times News

Gujarati News

ગુજરાતના ગવર્નર તરીકે નિમાયેલા આચાર્ય દેવવ્રત

File Photo

આચાર્ય દેવ વ્રતનો જન્મ પંજાબમાં  18 જાન્યુઆરી, 1959 થયો હતો. જેમની હાલમાં જ જુલાઈ 2019થી ગુજરાતના ગવર્નર તરીકે નિમણુંક થઈ છે અને અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા હતા. જયારે તેઓ હિમાચલ પ્રદેશના ગવર્નર હોવાથી, તેઓ હિમાચલ પ્રદેશની રાજ્ય યુનિવર્સિટીઓના ચાન્સેલર પણ રહી ચુક્યા છે.  હિમાચલ પ્રદેશમાં તેમની જગ્યા પર કલરાજ મિશ્રને ગર્વનર બનાવવામાં આવ્યા છે.  પ્રેસિડન્ટ રામ નાથ કોવિંદે ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવ વ્રતની  વિધીવત જાહેરાત કરી હતી.

તેઓ 1981 થી ગુરુકુળના અધ્યક્ષ રહ્યા છે. આ સંસ્થા આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા સરકારની કોઈ આર્થિક સહાય વિના, ચલાવવામાં આવે છે.  તેમણે 1980 ના દાયકાથી ગુરુકુળ કુરુક્ષેત્રના માર્ગદર્શક, પ્રિન્સિપલ અને વાર્ડન તરીકે સેવા આપી છે. તે તેમના દૈનિક જીવનમાં તેમની પ્રામાણિકતા, શિસ્ત, નિયમિતતા માટે જાણીતા છે.

આચાર્ય ડો. દેવવ્રતે  1 9 84 માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં તેમની અનુસ્નાતક પૂર્ણ કરી હતી. તેઓ પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે કામ કરી રહ્યા છે. તેઓ સ્ત્રી ભ્રૂણહત્યા અને “બેટી બચાવો બેટી પઢાઓ” ઝુંબેશ સામે અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રવાસ કર્યો છે.

હિમાચલ પ્રદેશના ઇતિહાસમાં તેના પ્રકારની પ્રથમ વહીવટી કામગીરી તરીકે, આચાર્ય દેવ વ્રત દ્વારા ડ્રગના દુરૂપયોગ અને અસહિષ્ણુતા સહિતના સીધા સામાજિક મુદ્દાઓ લેવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.