Western Times News

Gujarati News

સુશાંતનાં ગયા બાદ પહેલી વખત ઘરની બહાર નીકળી અંકિતા

સુશાંત સિંઘ રાજપૂત ગત ૧૪ જૂનનાં તેનાં બાન્દ્રા સ્થિત ઘરે મૃત મળી આવ્યો હતો. તેની મોતને લઈને તપાસ ચાલુ છે. મુંબઈ પોલીસએ આ મામલે અત્યાર સુધીમાં ૩૮ લોકોની પૂછપરછ કરી લીધી છે. સુશાંતનાં ગયા બાદ પહેલી વખત તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ઘરની બહાર જાેવા મળી હતી.

આ પહેલાં સુશાંતનાં મિત્ર સંદીપ સિંહે જણાવ્યું હતું કે રિલેશનશિપ દરમિયાન અંકિતા સંપૂર્ણ સુશાંતને સમર્પિત હતી. તેનાં જીવનમાં તેની સ્વર્ગીય માની જગ્યા તે લઈ ચૂકી હતી.

અંકિતા દરેક વસ્તુ સુશાંતની પસંદની જ કરતી હતી. તેનાં ઘરનું ઈન્ટીરિયર પણ સુશાંતની પસંદનું હતું. તે ખાવાનું પણ સુશાંતની પસંદનું જ બનાવતી હતી. જાેકે સંદીપે કહ્યું હતું કે, મને રિયા સાથેનાં સુશાંતનાં લગ્ન અંગે કંઈ જ માહિતી નથી. સંદીપે અંકિતા વિશે વાત કરતાં કહ્યું હતું કે, તે ખૂબ જ ઈમોશનલ છે અને સુશાંત માટે તે તેનું કરિઅર છોડવા પણ ત્યાર હતી જ્યારે તે તેનાં કરિઅરનાં પિક પર હતી. તે ટીવીનું મોટુ નામ હતી. તેને ફિલ્મોની પણ ઓફર થઈ રહી હતી. બ્રેકઅપ બાદ પણ તે સુશાંતની દર શુક્રવારે ફિલ્મ જાેતી અને તેની સફળતા માટે પ્રાર્થના કરતી હતી. અંકિતાએ હવે સંદિપ જૈન નામનાં બિઝનેસમેન સાથે સગાઈ કરી લીધી છે અને તે તેનાં રિલેશનમાં આગળ વધી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.