Western Times News

Gujarati News

દિશા વાકાણી તારક મહેતામાં પરત આવશે, રક્ષાબંધન સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે

મુંબઈ, ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉન બાદ ફરી શરૂ થવાનું છે. નવાં એપોસિડ્‌સ જાેઈ ફેન્સ ખુશ છે. આ શો ટીઆરપીમાં તો ટોપ પર ચાલી જ રહ્યો છે આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. હવે સમાચાર છે કે શોને વધુ મજેદાર બનાવવાં શોનાં સ્પેશલ એપીસોડમાં દિશા વાકાણી નજર આવી શકે છે. એવાં સમાચાર છે કે, તારક મહેતામાં રક્ષાબંધન તહેવાર ઉજવતો દર્શાવવામાં આવશે. આ તહેવારનાં બહો સ્પેશલ એપિસોડ માટે દિશા વાકાણી શોમાં પરત આવી શકે છે. એવામાં તારક મહેતામાં જાે દિશાની રિએન્ટ્રી થઈ તો દર્શકો માટે ગિફ્ટથી કંઈ કમ નહીં હોય.

આપને જણાવી દઈએ કે, શોમાં કામ કરનારી જેનિફરે પણ એવી હિન્ટ આપી હતી કે, દિશા વાકાણી ટૂંક સમયમાં જ શોમાં રિએન્ટ્રી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, હજુ દિશાની પ્રાથમિકતા તેની દીકરી છે એવામાં તેનાં પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું યોગ્ય નથી. ગત ૨ વર્ષથી દિશા વાકાણી અંગે સસ્પેન્સ બનેલું છે. ક્યારેક એવી વાતો થાય છે કે દિશા શોમાં પરત આવશે તો ક્યારેક એવી વાતો થાય છે કે હાલમાં તે પરત આવવાની નથી. અને કોઈ તેને રિપ્લેસ કરવાનું છે. ત્યારે જાે દિશા શોમાં રક્ષાબંધન સ્પેશલ એપિસોડમાં આવશે તો તમામ અટકળો પર પડદો પડી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.