Western Times News

Gujarati News

પ્રાંતિજ સહિત તાલુકામાં મેધ મહેર  ચાર ઇચ વરસાદ ખાબક્યો

ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં :  અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ – કેટલાય વાહનો પાણી માં બંધ થતાં વાહન ચાલકો મુશ્કેલી મુકાયા:  અમીનપુર રેલ્વે અંડરબ્રીજ માં કેડસમા પાણી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લા માં મેધ મહેર જોવા મળી હતી તો પ્રાંતિજ સહિત તાલુકામાં પણ મેધ મહેર થઇ હતી જેમાં પ્રાંતિજ માં ચાર ઇચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો સહિત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તો વરસાદી પાણી ને લઈને રહીશો હાલત કફોડી બની હતી તો અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો.

અડધું ચોમાસું વિતી ગયું ને મેધરાજા ની સવારી આવી પહોચતા સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં પણ મેધ મહેર જોવા મળી હતી તો ચોવીસ કલાક માં ચાર ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો વરસાદી પાણી ને લઈને નીચાણવાળા વિસ્તારોમાં સહિત પ્રાંતિજ એસટી ડેપો , ગોકુલપાર્ક સોસાયટી , માતૃછાયા સોસાયટી , શિવમ્ રેસી ડેન્ટ , ગંજાનદ સોસાયટી , એસટી ડેપો સહિત અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા

તો અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રોડ બંધ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં પાણી જવાનો નિકાલ ના હોવાથી કે પાણી જતા વહેરાઓમા પુરાણ થતાં હાલતો આ વિસ્તારોમાં પાણી ભરાઇ રહેતા સોસાયટી ના રહીશો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો તો અમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડરબ્રીજ માં પણ કહેર સુધી પાણી ભરાયાં હતાં ત્યારે હાલ માત્ર ચાર ઇચ વરસાદે પ્રાંતિજ ના કેટલાય વિસ્તારોમાં રહીશો ના જીવ ઊંચાનીચા કરી દીધા ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ની પ્રી.મોન્સુન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયાં છે ત્યારે હવે પાલિકા તંત્ર ગૌર નિદ્રા માંથી જાગે અને સત્વરે કાર્યવાહી હાથ ધરે તેવી પણ સોસાયટી ના રહીશો ની માંગ ઉઠવા પામી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.