Western Times News

Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઇ સુધાર નહીં

નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્‌પતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઇ સુધાર જાેવા મળ્યો નથી આર્મી હોસ્પિટલ તરફથી જાહેર મેડિકલ બુલેટિન મુજબ તેમની હાલત હજુ નાજુક છે અને તેઓ વેન્ટિલેટર પર છે એ યાદ રહે કે તેમને ગંભીર હાલતમાં ૧૦ ઓગષ્ટે આર્મીની હોસ્પિટલ દિલ્હી કેન્ટમાં દાખલ કરવામાં આવ્યા હતાં હોસ્પિટલમાં તપાસ દરમિયાન મગજમાં લોહી જામી જવાની વાત સામે આવી અને ત્યારબાદ તેમની સર્જરી થઇ સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર છે સર્જરી પહેલા કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તેઓ પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું આ વાત તેમણે જાતે ટિ્‌વટ કરીને જણાવી હતી.

મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટિ્‌વટ કરી જાણકારી આપી કે તેમની તબિયત ડેમોડાઇનેમિકલી સ્થિર છે એટલે કે તેમનું બ્લડ પ્રેશર સ્થિર છે સાથે જ હાર્ટ પણ કામ કરી રહ્યું છે જાે કે આર્મી હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે અને તબિયત નાજુક છે.પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી શર્મિષ્ઠાએ એક ટિ્‌વટ કરી સંદેશ આપ્યો હતો તેમાં લખ્યું હતું કે ગયા વર્ષે ૮ ઓગષ્ટ મારા માટે સૌથી ખુશીનો દિવસ હતો તે દિવસે મારા પિતાને ભારત રત્ન મળ્યો હતો ઠીક એક વર્ષ બાદ ૧૦ ઓગષ્ટે તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા ભગવાન એવું કરે જે કંઇ પણ તેમના માટે સારૂ હોય ભગવાન તેમને જીવનના સુખ અને દુખ સહન કરવાની શક્તિ આપે હું ઇમાનદારીથી તેમની ચિંતા કરવા માટે તમામનો આભાર માનુ છું.

લોહી જામી જવાના કારણે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી ત્યારબાદથી તેમની હાલત નાજુક છે પ્રણવ મુખર્જીને ૧૦ ઓગષ્ટે દિલ્હી છાવણી ખાતે આર્મીની આર એન્ડ આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.વિભિન્ન એકસપર્ટ ડોકટરોની ટીમ પૂર્વ રાષ્ટ્રપતિના આરોગ્ય પર સતત નજર રાખી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.