Western Times News

Gujarati News

સુશાંતના કેસમાં સાક્ષીની હત્યા થવાની સંભાવના છે

સુશાંતના કેસમાં સાક્ષીઓને પણ ધમકી આપવામાં આવી રહી છે અને પૂરાવાને નષ્ટ કરવામાં આવી રહ્યાં:એમએલએ


મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતનું મોત કેવી રીતે થયું. આ વાત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. તો મુંબઇ પોલીસ આ અંગે કંઇ જણાવે છે કે ન તો તેનાં પરિજનોને આ વાત જાણવાં મળતી નથી. તો મુંબઇ પોલીસ દ્વારા તપાસની દિશાને ભટકાવવાનો આરોપની વચ્ચે સીબીઆઈ તપાસમાં મોડુ થઇ રહ્યું છે. સુશાંતનાં પરિજનો પણ પરેશાન છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

સુશાંતનાં કાકાનાં ભાઇ અને ભાજપનાં એમએલએ નીરજ બબલૂએ આરોપ લગાવ્યાં છે. આ મામલે સાક્ષીઓને પણ ધમકી આપવામાં આવી રહી છે અને પૂરાવાને નષ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમને ઘભરામણ થાય છે. તેનાંથી કોઇ મોટું એવિડન્સ નષ્ટ કરવામાં આવે છે. તેણે કહ્યું કે, અમને થોડી ગભરામણ થઇ રહી છે. અને અસંતોષ પણ થઇ રહ્યો છે.

નીરજ બબલૂએ માંગ કરી છે કે, આ મામલે જે સાક્ષી સામે આવી રહ્યાં છે. તેમને તત્કાલ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. અમે ઇચ્છીશું કે, મુંબઇ પોલીસ સાક્ષીઓનું ધ્યાન રાખે અને તેમને સુરક્ષા પ્રદાન કરે. એવું ન થાય કે તેમની હત્યા થઇ જાય. તેમણે કહ્યું કે, અમે કેન્દ્ર સરકારને આગ્રહ કરીએ છીએ કે, તેમનું ધ્યાન રાખવામાં આવે એવું ન થાય કે, સાક્ષીઓ સાથે કંઇ ખોટુ થઇ જાય.

ભાજપનાં એમએલએ કહ્યું કે, અમે ગૃહ મંત્રીને પણ વિશેષ આગ્રહ કરીએ છીએ કે, સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. નિર્દોષ ન ફસાય. અને દોષીતોને સજા થાય. સુશાંતનાં એમએલએ ભાઇએ આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્રમાં ક્યાંયને ક્યાંય કોઇને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યાં છે. કોઇએ તપાસથી કેવી રીતે ડરવું જોઇએ. જ્યાં સુધી કોઇ ગડબડી ન થતાય. તેમણે કહ્યું કે, વિદેશમાં પણ લોકો ઇચ્છે છે કે, ન્યાય થાય અને કોઇ નિર્દોષ ન ફસાઇ જાય. આ વચ્ચે સૂત્રોનાં હવાલાથી જાણકારી સામને આવી છે કે સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કે કે સિંહની ઈડીએ સોમવારે દિલ્હીમાં પૂછપરછ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.