Western Times News

Gujarati News

૭૨ કલાક એકલા હાથે ચીની સેના સાથે સૈનિક લડ્યો હતો

આજે પણ માનવામાં આવે છે જસવંત યુદ્ધના મોર્ચે બનેલી તેમની ચેક પોસ્ટ ઉપર તૈનાત, તેની એક પ્રતિમા સ્થાપિત

નવી દિલ્હી, ભારતના એક બહાદુર સૈનિકનું નામ ઈતિહાસમાં સ્વર્ણઅક્ષરોમાં લખાયું છે. માનવામાં આવે છે કે તેમની આત્મા આજે પણ દેશના પૂર્વી વિસ્તારની રક્ષા કરે છે. જો કોઈ સૈનિક ડ્યૂટી ઉપર ઉંઘતો મળે તો તેને લાફો મારીને જગાડે છે. આ શહીદ સૈનિકનું નામ જસવંત સિંહ રાવત છે. ઉત્તરાખંડના રહેનારા આ સૈનિકે ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ દરમિયાને એકલા હાથે ૭૨ કલાક સુધી લડાઈ કરી હતી. ત્યારબાદ તેઓ શહીદ થયા હતા. તેમની બહાદુરીના કહાનીઓ આજે પણ સેનામાં કહેવામાં આવે છે. જસવંત સિંહ રાવતનો જન્મ વર્ષ ૧૯૪૧માં આજના દિવસે એટલે કે ૨૦ ઓગસ્ટે થયો હતો. ચીન સામેના યુદ્ધ દરમિયાન ૧૭ નવેમ્બર ૧૯૬૨માં તેઓ શહીદ થયા હતા. રાવત ભારતીય થળ સેનાના બહાદૂર સૈનિક હતા. આજે પણ માનવામાં આવે છે કે જસવંત સિંહ રાવત યુદ્ધના મોર્ચે બનેલી તેમની ચેક પોસ્ટ ઉપર તૈનાત છે. ત્યાં તેમની એક પ્રતિમા સ્થાપિત કરી છે. ૨૪ કલાક તેમની સેવામાં પાંચ જવાનો લાગેલા રહેશે.

દરરોજ તેમના જૂતાને પોલિશ અને કપડાને ઈસ્ત્રી કરવામાં આવે છે. જસવંત સિંહ રાવતનો જન્મ ૧૯ ઓગસ્ટે ૧૯૪૧ના દિવસે બાડ્યૂ પટ્ટી ખાટલીમાં થયો હતો. ૧૬ ઓગસ્ટ ૧૯૬૦ના દિવસે ચોથી ગઢવાલ રાયફલ લેન્સડાઉનમાં ભરતી થયા હતા. તેમની ટ્રેનિંગના સમયે જ ચીનને ભારતના ઉત્તરી સીમા પર ઘૂસણખોરી કરી હતી. ધીરે-ધીરે ઉત્તરી પૂર્વી સીમા ઉપર યુદ્ધ શરુ કરી દીધું. સેનાને કૂચ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ચોથી ગઢવાલ રાયફલ નેફા ક્ષેત્રમાં ચીની આક્રમણનો જવાબ આપવા માટે નોકલવી હતી. ભારતકોશ ડોટ આર્ગ વેબસાઈટ અનુસાર ૧૭ નવેમ્બર ૧૯૬૨ના દિવસે જ્યારે ચોથી ગઢવાલ રાયફલને નેફા એટલે કે અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યુ ત્યારે જસવંત સિંહ રાવતની ટ્રેનિગ ખતમ થઈ હતી. તેમની પલટનને ત્વાંગ વૂ નદી ઉપર નૂરનાંગ પુલની સુરક્ષા માટે લગાવી હતી. ચીની સેનાએ હુમલો કર્યો હતો. આ સ્થાન ૧૪૦૦૦ ફૂટ ઉપર હતું. ચીની સેના તીડની માફક તૂટી પડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.