Western Times News

Gujarati News

પૂર્વથી પશ્ચિમની લાલ બસો શરૂ કરવા તંત્રના ઠાગાઠૈયા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં એએમટી એસની લાલ બસ સામાન્ય વર્ગના લોકો માટે આશિર્વાાદરૂપ છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા ત્રણ મહિનાથી પૂર્થી પશ્ચિમ તરફ જતી બસો બંધ હોવાથી હજારો લોકો કામ-ધંધા-નોકરીના સ્થળ સુધી પહોંચવામાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે. એટલુ જ નહીં તેમના ખિસ્સા પર બોજાે વધ્યો છે. પાંચ માસથી તો લાલ દરવાજા મુખ્ય બસ ટર્મિનસ બંધ છ.

એક તરફ કોર્પોેરેશન તંત્ર કહે છે કે કોરોનાના કેસ ઘટ્યા છે તો પછી પૂર્વથી પશ્ચિમની બસો કેમ શરૂ કરવામાં આવતી નથી. જાે કે બસો શરૂ કરવાની તૈયારીઓ હોવા છતા કોર્પોરેશનના ઉચ્ચ અધિારીઓ ઈન્કાર કરી રહ્યા હોવાનુ કહેવાય છે.

શહેરના મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કોરોનાથી ડરો નહીં, તેમ કહીને મીટીંગો કરી રહ્યાા છે. પરંતુ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને દબાણપૂર્વક બસ શરૂ કરવાનુ કેમ કહેી શકતા નથી. તે પ્રશ્ન પણ પ્રજાના મનમાં ઉઠી રહ્યો છે. ચૂટાયેલી પાંખના આગેવાનોન કોર્પોરેશનમાં કોઈ વજુદ છે કે કેમ? એમ પણ પૂછાઈ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.