Western Times News

Gujarati News

ભાભીને પામવા ભાઈએ ભાઈની હત્યા કરી જમીનમાં મૃતદેહ દાટી દીધો : હત્યારા ભાઈની પોલીસે કરી ધરપકડ.

ભરૂચના સોન તલાવડી વિસ્તારની ઘટના : ભાભીએ ફરિયાદ કરતા પોલીસે હત્યારા દિયરની ધરપકડ કરી.
નર્મદા માર્કેટની અવાવરું જગ્યાએ જમીનમાં ભાઈનો મૃતદેહ દાટી દીધો હતો.
એક મહિના પછી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.
હત્યારાએ ભાભીને જાણ કરતા ભાભીએ હત્યારા દિયર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં ભાભીના પ્રેમમાં પડેલા દીયરે પોતાના ભાઈ આડી ખીલ્લી સમાન હોવાને કારણે ભાઈએ ભાભીને પામવા માટે ભાઈની હત્યા કરી જમીનમાં દાટી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે નોંધાયો હતો.જેમાં પોલીસે મૃતદેહનો કબ્જો લઈ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના સોન તલાવડી વિસ્તારમાં રહેતી મંજુબેન વાઘ સાથે તેના દિયરની આંખ મળી ગઈ હતી.જેના પગલે ઘણી વખત દિયર સંજય ભાભીને જણાવતો હતો કે તું તારા પતિને છોડી દે મારી પત્ની બનીને મારા ઘરે આવી જા પરંતુ મંજુબેન દિયર સાથે જવા તૈયાર ન હતી.જેના કારણે મંજુબેન વાઘને પામવા માટે તેના દિયર સંજયભાઈ મંગાભાઈ દેવીપુજક (વસાવા)  રહેવાસી સોન તલાવડીનાએ મફતભાઈને પૈસા આપવાના બહાને તારીખ ૨૬/૭/૨૦૨૦ ના રોજ તેના ઘરે બોલાવી રાત્રી દરમ્યાન તિક્ષ્ણ હથિયાર વડે મફતભાઈની હત્યા કરી લાશને નર્મદા માર્કેટની અવાવરું જગ્યાએ જમીનમાં દાટી દીધી હતી

જોકે પતિ મફતભાઈ ઘરે પરત ન આવતાં તેની પત્ની મંજુબેને પતિની શોધખોળ કરી હતી અને પતિનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને મંજુબેનને રૂપિયાની જરૂર હોવાથી તેણીની એ દશામાતાજીની જાગરણની રાતે તારીખ ૨૯/૭/૨૦૨૦ના રોજ પોતાના દાગીના ગીરવે મુકવા માટે પાદરા ગઈ હતી.તે દરમ્યાન સંજયભાઈ દેવીપુજક (વસાવા) મંજુબેનને મળ્યો હતો અને તેને જણાવ્યું હતું કે તારા પતિની હત્યા કરી નાંખી છે.હવે તું મારી પત્ની બની જા જેથી મંજુબેન ગભરાઈ ગઈ હતી અને સંજયે હત્યા અંગેની સમગ્ર માહિતી મરનારની પત્ની મંજુબેનને જણાવી દેતા તેણીએ ગભરાઈ જઈ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મંજુબેન મફતભાઈ વાઘની ફરિયાદના આધારે હત્યારા સંજય દેવીપુજક (વસાવા) ની ધરપકડ કરી કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેણે હત્યા કરી નર્મદા માર્કેટમાં પોતાના ભાઈની લાશને દાટી દીધી હોવાની કબૂલાત કરતાં પોલીસે મામલતદારની હાજરીમાં આરોપીએ બતાવેલી જગ્યા ઉપર જઈ જેસીબી વડે ખોદવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો.જેને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા આરોપીની કબૂલાત મુજબ આરોપી સંજયભાઈ દેવીપુજક (વસાવા) સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.