મુંબઇ શહેરને સલામ કરશો તો સલામી જ મળશે : સોનૂ
મુંબઈ: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ આમ તો તેની નેકી અને લોકોની મદદ માટે ચર્ચામાં રહે છે પણ આ વચ્ચે તેની એક ટિ્વટ ખુબજ વાયરલ થઇ રહી છે. આ ટિ્વટમાં સોનૂ સૂદે જાણે ‘પંગા ક્વિન’ કંગના રનૌત માટે ટિ્વટ કરી હોય તેમ લાગી રહ્યું છે. એક્ટરે કોઇનું નામ નથી લીધુ પણ એવા કયાસ લગાવામાં આવી રહ્યાં છે કે, કંગનાની મુંબઇને પીઓકેવાળી ટિ્વટનો સોનૂ સૂદે જવાબ આપ્યો છે. સોનૂ સૂદે એક ટિ્વટ કરી છે જેમાં તેણે લખ્યુ છે કે, ‘મુંબઇ આ શહેર તકદીર બદલી દે છે. સલામ કરશો તો સલામી મળશે.
આ સાથે તેણે ભારતીય તિરંગાની ઇમોજી મુકી છે. સોનૂ સૂદે આ ટિ્વટમાં ભલે કોઇનું નામ ન લીધુ હોય પણ સોશિયલ મીડિયા યૂઝર્સ ઘણાં સમજદાર છે તેઓ સમજી ગયા કે સોનૂ કોના પર નિશાન સાધી રહ્યો છે. તેણે આ પોસ્ટ પર યૂઝર યૂઝર્સ કંગના પર નિશાન સાધ્યુ છે. તો કંગનાનાં ફેન્સ પણ આ પોસ્ટ પર ખુબ બધા રિપ્લાય આપી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, ગુરૂવારે કંગનાએ એક ટિ્વટ કરી હતી જેમાં તેણે મુંબઇની સરખામણી પીઓકે સાથે કરી હતી.
કંગનાએ લખ્યું હતું કે, શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને મુંબઇ પરત ન આવવા કહ્યું છે. મુંબઇનાં રસ્તા પર આઝાદી સાથે જોડાયેલાં ભિત ચિત્રો જોયા બાદ હવે ખુલી ધમકી મુંબઇ હવે પીઓકે જેમ ફિલ કેમ કરી રહ્યું છે? કંગનાની આ ટિ્વટ બાદ ઘણાં બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઝે આ વાતનો વિરોધ કર્યો છે. સંજય રાઉતે શિવસેનાનાં મુખપત્ર સામનામાં કંગના રનૌત પર નિશાન સાધ્યું છે અને કહ્યું હતું કે, તે મુંબઇમાં રહે છે છતાં પણ અહીંનાં પોલીસ દળની આલોચના કરે છે. તેનું આ વર્તન શરમજનક છે. રાઉત લખે છે કે ,અમે તેને (કંગના) વિનમ્ર નિવેદન કરીએ છીએ કે, તે મુંબઇ ન આવે. આ મુંબઇ પોલીસનું અપમાન કરવાં સીવાય અન્ય કંઇ જ નથી ગૃહમંત્રાલયે આ મામલે કાર્યવાહી કરવી જોઇએ.’