Western Times News

Gujarati News

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વાગત અભિનંદન

ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી ને પદ ગ્રહણ પર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય તરફથી શુભ વધાઈ આપવા બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના નવ નિયુક્ત ડાયરેકટર રાજયોગિની ભારતીદીદી, ગાંધીનગર સેવાકેન્દ્રના સંચાલિકા રાજયોગિની કૈલાશ દીદીજી, અમેરિકામાં ઈશ્વરીય સેવા કરી સીધાં ગાંધીનગર પધારેલ બ્રહ્માકુમારીઝ, વૈશ્વિક મુખ્યાલય માઉન્ટ આબુના આંતરરાષ્ટ્રિય વક્તા રાજયોગિની ઉષાદીદીજી, સુખશાંતિ ભવન અમદાવાદના બી.કે.અમરબેન તથા ચિલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાબેનનું ગૃપ રાજભવન ખાતે પહોંચ્યા હતા.

રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિનંદન કરી શૉલ પહેરાવી અભિવાદન કરવામાં આવેલ. આ અવસરે એક વિશેષ અભિનંદન પત્ર- પ્લેટ તથા ઈશ્વરીય સાહિત્ય સૌગાત રૂપે આપવામાં આવેલ. અને પ્રભુ પ્રસાદ ‘ટોલી” થી મુખ પણ મીઠુ કરાવવામાં આવેલ.અને પરમપિતા શિવ પરમાત્મા તરફથી ઈશ્વરીય શક્તિ સભર આશીર્વાદ સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.