Western Times News

Gujarati News

શ્રાવણ મહિનામાં ડાકોરમાં દર્શનનો સમય વધારાયો

File

નડીયાદ, ડાકોર રણછોડરાયજીના મંદીરમાં ૧ ઓગષ્ટ થી પવીત્ર શ્રાવણ માસ નિમીત્તે શ્રીજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે, જે મુજબ સવારે ૬.૪પ વાગે શ્રીજીની મંગળા આરતી થશે. ત્યારબાદ ૮.૪પ થી ૯.૧પ વાગ્યા સુધી શ્રીજી મહારાજ ત્રણ આરોગવા બિરાજશે.  તેથી દર્શન બંધ રહેશે. સવારે ૯.૧પ વાગે દર્શન ખુલશે, જે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સવારે ૧૧ વાગે શ્રીજી રાજભોગ આરોગવા બિરાજશે. આથી દર્શન બંધ રહેશે. રાજભોગ ખુલ્યા બાદ બપોરે ૧ર.૩૦ વાગ્યા સુધી દર્શન બાદ અનુકુળતાએ શ્રીજી મહારાજ પોઢી જશે. સાંજે ૪ વાગે ઉત્થાપન આરતી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.