Western Times News

Gujarati News

ડુંગળીની નિકાસની પર 1લી જાન્યુઆરીથી છૂટ મળશે

પ્રતિકાત્મક

કેન્દ્ર સરકારે તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ આદેશ આગામી વર્ષે એક જાન્યુઆરીથી લાગૂ થશે. આ પહેલા સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સરકારે ડુંગળીની કિંમતમાં થઈ રહેલા વધારાને જોતા નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, એક જાન્યુઆરી, 2021થી તમામ વેરાયટીની ડુંગળીની નિકાસની છૂટ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.