Western Times News

Gujarati News

નારણપુરામાં તસ્કરના હિંસક હુમલામાં વૃધ્ધ દંપતિ ગંભીર

બાથરૂમમાં સંતાયેલા તસ્કરને વૃધ્ધ દંપતિ જાઈ જતા બુમાબુમ કરી : પકડાઈ જવાની બીકે તસ્કરે વૃધ્ધ અને તેની પત્નિએ છરાના સંખ્યાબંધ ઘા ઝીંક્યા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં તસ્કરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહયા છે ત્યારે હવે તસ્કરો હિંસક બનતા સ્થાનિક નાગરિકો ફફડી રહયા છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો દ્વારા હિંસક હુમલાની ઘટનાઓ વધી ગઈ છે

આવો જ એક બનાવ શહેરના નારણપુરા વિસ્તારમાં બન્યો છે. જેમાં રાત્રે ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ વૃધ્ધ દંપતી પર ચપ્પાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે. વહેલી સવારે ઘરમાં ઘુસેલો ચોર બાથરૂમમાં સંતાઈ ગયો હતો જેને જાઈ જતા મકાન માલિક વૃધ્ધ દંપતિ પર હુમલો કર્યો હતો. વૃધ્ધ દંપતિને ગંભીર હાલતમાં હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકી પોલીસ માટે પડકારરૂપ બની ગઈ છે શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં જળવાઈ રહે તે માટે નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહયા છે પરંતુ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી તાજેતરમાં જ શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવક પર તસ્કરે સશસ્ત્ર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારબાદ ગઈકાલ રાત્રે પણ શહેરના નારણપુરા વિસ્તારમાં પણ આવો જ એક બનાવ બન્યો છે.

નારણપુરા વિસ્તારમાં આવેલી વિજય કોલોનીમાં રહેતા પ્રવિણભાઈ અને તેમની પત્નિ ફલેટના પ્રથમ માળે રહે છે અને નીચે તેમના નાના ભાઈનો પરિવાર રહે છે ગઈકાલે સવારે નિત્યક્રમ મુજબ વૃધ્ધ પ્રવિણભાઈ સવારે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયા હતા તેમના ધર્મ પત્નિ ગરમ પાણી લઈ બાથરૂમ પાસે પહોંચ્યા હતા ૬પ વર્ષના પ્રવિણભાઈએ બાથરૂમનો દરવાજા ખોલતા જ તેમાંથી અચાનક જ એક શખ્સ હાથમાં છરો લઈને બહાર આવ્યો હતો.

ગભરાયેલા ઈલાબેને ચોર ચોર ની બુમો પાડી તેમના હાથમાં રહેલું ગરમ પાણીનું તપેલુ તેના પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છરા સાથે ઘુસી આવેલા તસ્કરે બાથરૂમમાંથી બહાર નીકળી ઈલાબેન ઉપર હુમલો કર્યો હતો અને તેમના શરીર પર સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા ઈલાબેન બુમાબુમ કરતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા આ દરમિયાનમાં પ્રવિણભાઈ પણ ઈલાબેનને બચાવવા વચ્ચે પડયા હતા આ દરમિયાનમાં પકડાઈ જવાની બીકે તસ્કરે પ્રવિણભાઈ પર છરા વડે હુમલો કરી તેમના શરીર પર તીક્ષ્ણ છરાના ઘા મારી દીધા હતા

જેના પરિણામે પ્રવિણભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી અને તેઓ પણ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. ફલેટમાંથી બુમાબુમ થવા લાગતા નીચેના માળેથી તેમના ભાઈ તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા જાકે ખૂંખાર બનેલા તસ્કરે તેમના પર પણ છરીથી હુમલો કર્યો હતો જેથી તેનો પ્રતિકાર કરવા માટે ટોળુ આગળ વધતા જ આ તસ્કર ઘરની બહાર નીકળી ભાગી છુટયો હતો

પ્રવિણભાઈના ઘરમાંથી છરા સાથે લોહી લુહાણ હાલતમાં એક શખ્સને દોડતો જાઈ સોસાયટીના લોકો ચોંકી ઉઠયા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાઈ તેઓ ચોંકી ઉઠયા હતાં. એકત્ર થયેલા લોકોએ તાત્કાલીક ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સમાં પ્રવીણભાઈ અને તેમના પત્નિ તથા પ્રવીણભાઈના ભાઈને પણ તાત્કાલિક હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં વૃધ્ધ દંપતિની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે

તસ્કરે પ્રવિણભાઈના શરીર પર સંખ્યાબંધ ઘા ઝીંકયા છે જયારે ઈલાબેનની હાથની ચાર આંગળીઓ કપાઈ ગઈ છે. હાલ ત્રણેય સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં ચોંકી ઉઠેલા નારણપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સતર્ક બન્યા હતા અને પોલીસ ઈન્સ્પેકટર જાતે જ હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં ત્યારબાદ પોલીસની એક ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને ભાગી છુટેલા હુમલાખોર તસ્કર અંગેનું વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ પણ મેળવવાની તજવીજ શરૂ કરી છે. એવું મનાઈ રહયું છે કે મોડી રાત્રે ઘરમાં ઘુસેલો ચોર અચાનક જ ઘરના સભ્યો જાગી જતાં બાથરૂમમાં પુરાઈ ગયો હશે અને વહેલી સવારે બહાર નીકળવાના પ્રયત્નમાં વૃધ્ધ દંપતિ તેને જાઈ જતા હિંસક હુમલો કર્યો છે આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.