Western Times News

Gujarati News

કોરોના વેક્સિન લીધાના બે દિવસ પછી ડૉક્ટરનું મૃત્યુ થયું

શિવમોગા, કોવિડ-૧૯ રસી લીધાના બે દિવસ પછી કર્ણાટકાની ખાનગી હોસ્પિટલમાં બુધવારે ડૉક્ટરનું મૃત્યું થઈ ગયું. જાેકે, સરકારે કહ્યું છે કે, ૫૮ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ તેમની હૃદયની તકલીફના લીધે થયું છે નહીં કે રસી ના કારણે. ડૉ. જયપ્રકાશ ટીએ સુબ્બાઈહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ઓર્થોપેડિક તરીક ફરજ બજાવતા હતા.

તેમને તેમના સાથી કર્મચારીઓ સાથે કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડૉ. રાજેશ સુરગીહાલ્લી જણાવે છે કે તેમને છાતીમાં દુખાવો થવાના કારણે બુધવારે સવારે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યું છે કે, તેમનું મૃત્યુ હૃદયની બીમારીના કારણે થયું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ બુધવારે જણાવ્યું છે કે ડૉક્ટરનું નિધન રસીના કારણે નહીં પરંતુ હૃદયની બીમારીના લીધે થયું છે. મૃતક જયપ્રકાશના કાર્ડિયોલોજીસ્ટ ડૉ. નાગેન્દ્ર જણાવે છે કે તેમને ૨૦૧૩થી હૃદયને લગતી બીમારી હતી. તેમનું નિધન રસીના કારણે નહીં પરંતુ હૃદયની બીમારીના કારણે થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.