યોગીએ અયોધ્યા રામ મંદિર જમીન વિવાદ પર અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો
લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરની જમીન ખરીદી સાથે જાેડાયેલા વિવાદ પર જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિવરણ માંગ્યું છે. અધિકારીઓએ તેમને જમીન સાથે જાેડાયેલા તમામ કાગળ બતાવ્યા છે. રામ મંદિર માટે ખરીદવામાં આવેલી જમીનની કિંમત પર કેટલાક દિવસોથી રાજનીતિક દળ ટ્રસ્ટ પર આરોપ લગાવી રહ્યા છે.
સમાચારો અનુસાર વિવાદ વધતો જાેતા સીએમ યોગીએ સોમવારે અયોધ્યાના ડીએમ અને કમિશ્નર પાસે સંપૂર્ણ વિવરણ માંગ્યુ છે. અધિકારીઓએ તેમને સંપૂર્ણ જાણકારી આપી છે. જમીનની સાથે જાેડાયેલા કાગળો બતાવવામાં આવ્યા છે. મનાઈ રહ્યુ છે કે યોગી આદિત્યનાથ જાણકારીથી સંતુષ્ટ છે.
અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ખરીદવામાં આવેલી જમીનમાં ઘોટાળાનો આરોપ લાગી રહ્યો છે. આ આરોપ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહ અને અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટીના નેતા પવન પાંડેએ લગાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ જમીનનો સોદો પહેલા ૨ કરોડ રુપિયામાં નક્કી થયો હતો. પરંતુ હવે આને ૧૮.૫૦ કરોડ રુપિયામાં ખરીદવામાં આવી છે.