મુખ્યમંત્રી ગીર સોમનાથના પ્રવાસે : વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કરશે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવાર તા.26 જૂનના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે.
મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા આવતીકાલે સાંજે 5.45 કલાકે રામ મંદિર ઓડિટોરિયમ,સોમનાથ ખાતેથી વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષની નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન તથા ફૂટપાથનું ખાતમૂર્હુત પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી રૂપાણી તા. 27 જૂન રવિવારના રોજ સવારે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરશે.