Western Times News

Gujarati News

અમદાવાદમાં 6 મહિનામાં 1136 લકઝરી કારનું રજિસ્ટ્રેશન થયુંઃ

પ્રતિકાત્મક

કોરોના ઓછો થવાથી લકઝરી કારનો ક્રેઝ વધ્યો -અ.મ્યુ.કો.ના ચોપડે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં ૧૧૩૬ લકઝરી કારનું રજિસ્ટ્રેશન થયુંઃ મ્યુનિ. તંત્ર દ્વારા રોડ ટેક્સમાં અડધાથી બે ટકાનો વધારો કરાયો

અમદાવાદ, કોરોના મહામારીના કપરાકાળમાં અમદાવાદ પણ ભયંકર મદીમાં સપડાયું હતું અનેક નોકરિયાતોને ઘેર બેસવું પડયું હતું અથવા તો પગારકાપમાં પણ કામ કરવું પડયું હતું. વેપારીઓના વેપાર ઠપ થયા હતા.

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં કોરોનાએ હાહાકાર ફેલાવતા તમામ વાણિજય વ્યવહારો થંભી ગયા હતા, જાેકે હવે કોરોનાએ લગભગ વિદાય લીધી હોઈ અમદાવાદીઓમાં લકઝરી કાર ખરીદવાનો ક્રેઝ પુનઃ જાેવા મળ્યો છે. હવેની નવી પેઢીમાં ૧પ લાખથી વધુની લકઝરી કાર લઈને ફરવાનો શોખ વધ્યો હોઈ મ્યુનિ. તંત્રને પણ રોડ ટેકસની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે.

માર્ચ- ર૦ર૦થી શહેરમાં કોરોનાએ પગપેસારો કર્યો હતો અને એપ્રિલ તેમજ મે એમ બે મહિના સમગ્ર દેશમાં લોકડાઉન લદાયું હતું ગુજરાતમાં તા.૧ જૂન, ર૦ર૦થી લોકડાઉનમાં અનલોકના વિવિધ તબકકા શરૂ થયા હતા તેમ છતાં ગત વર્ષે દિવાળી બાદ ફરી કોરોનાનો ઉપદ્રવ વધ્યો હતો.

કોરોના મહામારીની ફર્સ્ટ વેવથી અમદાવાદના ઉદ્યોગ- ધંધાને માઠી અસર પહોંચી હતી, જાેકે ગત એપ્રિલ- ર૦ર૧થી શરૂ થયેલી કોરોનાની સેકન્ડ વેવ અમદાવાદીઓ માટે ભારે ઘાતક બની હતી. એપ્રિલ અને મે એમ બે મહિના શહેરમાં કોરોનાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. હવે સદનસીબે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કોરોનાનો પ્રકોપ હળવો થયો છે.

બીજી તરફ અમદાવાદીઓની નવી પેઢી વધુ શોખીન, વધુ ખર્ચાળ અને વધુ આધુનિક જીવનશૈલીને માનનાર હોઈ મોંઘીદાટ લકઝરી કારની ખરીદી પણ વધી છે. મ્યુનિ. તંત્રના ચોપડે ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં તા.૧ એપ્રિલ, ર૦ર૧થી તા.ર૮ સપ્ટેમ્બર, ર૦ર૧ સુધીના છેલ્લા છ મહિનામાં કુલ ૧૧૩૬ લકઝરી કારનું રજિસ્ટ્રેશન નોધાયું છે.

આ તમામ કારની કિંમત રૂ.૧પ લાખથી વધુની છે. જયારે કોરોનાની દહેશતથી ગત નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં સમગ્ર વર્ષ દરમિયાન ફકત ૧૪રર લકઝરી કાર નોંધાઈ હતી.

મ્યુનિ. તંત્રને લકઝરી કારનું વેચાણ વધવાથી સ્વાભાવિકપણે રોડ ટેકસની આવકમાં વધારો થાય છે, જાેકે આવતીકાલ તા.૧ ઓકટોબરથી તંત્ર દ્વારા લકઝરી કારના રોડ ટેકસમાં અડધાથી બે ટકાનો વધારો કરાયો છે એટલે કે રૂા.૧પ લાખથી વધુની કાર રૂ.૩૦ થી પ૦ હજાર સુધી મોંઘી થશે.

તાજેતરમાં મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં ચેરમેન જૈનિક વકીલ અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવે દ્વારા વૈભવી કાર પર અડધાથી બે ટકાનો વધારો કરવાનો નિર્ણય કરાયો હતો, જેની આવતીકાલથી અમલવારી કરાશે.

અત્યાર સુધી તમામ લકઝરી કારમાં ત્રણ ટકા રોડ ટેકસ વસૂલાતો હતો, પરંતુ આવતીકાલથી લકઝરી કારની કિંમત મુજબ ટેકસ વસૂલાશે, જેમ કે રૂ.૧પ થી રપ લાખ સુધીની લકઝરી કાર માટે ૩.પ૦ ટકા, રૂ.રપ લાખથી પ૦ લાખની લકઝરી કાર પર ચાર ટકા અને રૂ.પ૦ લાખથી વધુ કિંમતની કાર પર પાંચ ટકાનો રોડ ટેકસ વસૂલાશે

પ્રતિકાત્મક

એટલે આવી લકઝરી કારના માલિકોને રૂ.૭૦ હજારથી રૂ.૪.ર૦ લાખ જેટલો રોડ ટેકસ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. પહેલી વખત લકઝરી કાર માટે તેની કિંમત મુજબ ટેકસનો સ્લેબ નકકી કરાયો હોઈ સ્વાભાવિકપણે મ્યુનિ. તિજાેરીમાં આવક પેટે વધુ નાણાં ઠલવાશે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.