ધનસુરા ખાતે “પોલીસ શહીદ દિન”નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ધનસુરા વિશ્વકર્મા મંદિર ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં 31 બોટલ રક્તદાન કરાયુ હતું
ધનસુરા વિશ્વકર્મા મંદિર ખાતે “પોલીસ શહીદ દિન”નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ અરવલ્લી જિલ્લા પોલીસ ધનસુરા પોલીસ સ્ટેશન તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં ધનસુરા પી.એસ.આઇ બી.એસ.ચૌહાણ અને ધનસુરા રેડક્રોસ સોસાયટી ના પ્રમુખ મનસુખભાઇ ભગત એ પણ રક્તદાન કર્યું હતું આ ઉપરાંત પોલીસ જવાનો, હોમગાર્ડ અને અન્ય નાગરિકોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમ માં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ થી ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ માં ધનસુરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ , મંત્રી અને ખજાનચી તેમજ પેન્શનર મંડળ ના પ્રમુખ હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં 31 બોટલ રક્તદાન કરાયુ હતું.