જામીનનો રિલિઝ ઓર્ડર જેલમાં ન પહોંચતા આર્યનની જેલમુક્તિ લંબાઈ

મુંબઈ, ૨ ઓક્ટોબરથી ડ્રગ્સ કેસમાં ઝડપાયા બાદ આર્યન ખાનને આખરે ૨૫ દિવસ બાદ ગત રોજ જામીન મળ્યા હતા. જામીન મળતાંની સાથે જ શાહરૂખ ખાન સાથે તમામ લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. જાે કે, ગત રોજ આર્યન ખાન જેલમુક્ત થઈ શક્યો ન હતો. અને આજની રાત પણ આર્યન ખાનને જેલમાં જ પસાર કરવી પડશે.
જામીનનો રિલીઝ ઓર્ડર આર્થર રોડ જેલ ન પહોંચવાને કારણે આજે આર્યન ખાનની મુક્તિ થઈ શકશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે. અને હવે આવતીકાલ સવારે જ આર્યન ખાન જેલમાંથી બહાર નીકળી શકશે.
આર્યનને ૨૮ ઓક્ટોબરના રોજ જામીન પર છોડવાનો બોમ્બે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. જાેકે, ઓર્ડરની નકલ તૈયાર ના હોવાથી તેમજ ઓફિસના કામકાજનો સમય પૂરો થઈ ગયો હોવાના કારણે આર્યનને વધુ એક રાત માટે જેલમાં રહેવું પડ્યું હતું. અને આજે શુક્રવારે આર્યન જેલની બહાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. પણ આજે પણ રિલીઝ ઓર્ડર મોડા મળવાને કારણે આર્યન ખાનને આજની રાત પણ જેલમાં જ પસાર કરવાનો વારો આવ્યો છે.
આર્યનના વકીલ સતીષ માનશિંદેના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના આદેશની નકલ તેમને મળી ગઈ છે. જજ એકવાર જામીનનો સ્વીકાર કરે ત્યારબાદ અન્ય ફોર્માલિટી કરવામાં આવતી હોય છે.
આજ સાંજ સુધીમાં આ તમામ કામગીરી પૂરી થઈ જશે. બોન્ડ સાઈન થયા બાદ તેને લઈને સીધા કોર્ટથી જેલ જવામાં આવશે. આ તમામ દસ્તાવેજાે જેલના સત્તાધીશો સમક્ષ રજૂ કરતાં જ આર્યનને મુક્ત કરાશે. પણ સાંજ ૬ વાગ્યા થતાં સુધીમાં ઓર્ડર્સ ઓર્થર રોડ જેલ પ્રશાસનને મળ્યા ન હતા.
હાલ મળતી વિગતો અનુસાર, આર્યન ખાનને ૧ લાખ રૂપિયાનો પર્સનલ બોન્ડ ભરવો પડશે. પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. તેને દેશની બહાર જતા પહેલા પણ કોર્ટની પરવાનગી મેળવવી પડશે. વળી, તેને દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજરી પણ પૂરાવવી પડશે.
તપાસમાં પૂર્ણ સહયોગ આપવાની સાથે આર્યન પોતાના સહઆરોપીઓ સાથે પણ વાત નહીં કરે, તેમજ કેસને લગતા કોઈ તથ્યો, પુરાવા કે સાક્ષીને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ નહીં કરી શકે.
આ ઉપરાંત ગ્રેટર મુંબઈથી બહાર જવાનું છે તો પહેલા કેસના તપાસ અધિકારીને આ અંગેની સૂચના આપવાની રહેશે. જ્યાં જઈ રહ્યા છે તેની પૂરી યોજના અધિકારીને સોંપવાની રહેશે. અને જાે કોઈપણ શરતનું ઉલ્લંઘન કરે છે તો એનસીબી સીધા સ્પેશિયલ જજ/કોર્ટથી જમાનત રદ કરવાની અપીલ કરી શકે છે.SSS