Western Times News

Gujarati News

કૃણાલ કામરા અને ફારૂકી ભોપાલમાં દિગ્વિજય સિંહ પર કોમેડી કરશે

ભોપાલ, કોમેડિયન કૃણાલ કામરા અને મુનવ્વર ફારૂકીનાં શો આ દિવસોમાં કેન્સલ થઈ રહ્યા છે. મુનવ્વર ફારૂકીનાં ઘણા શો તેના શો માં વિવાદાસ્પદ કોમેડીને કારણે રદ કરવામાં આવ્યા છે, જ્યારે કૃણાલ કામરાનાં બેંગ્લોરમાં સ્ટેન્ડ-અપ પ્રોગ્રામ્સ પણ રદ કરવામાં આવ્યા છે.

તેમના શો કેન્સલ થયા બાદ બન્ને કોમેડિયન એકદમ નિરાશ દેખાય છે. દરમિયાન, બન્ને કોમેડીનને કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહ દ્વારા ટેકો મળ્યો છે અને તેઓએ કામરા અને ફારૂકીને ભોપાલમાં એક શો યોજવા આમંત્રણ આપ્યું છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કૃણાલ કામરા અને મુનવ્વર ફારૂકીને ભોપાલમાં કોમેડી શો કરવા માટે આમંત્રણ આપ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું છે કે, તેઓ પોતે ભોપાલમાં બન્ને કોમેડિયન માટે કોમેડી શોનું આયોજન કરશે. આ સાથે કોંગ્રેસ નેતાએ પોતાને કોમેડી શોનો વિષય રાખવાની વાત પણ કરી છે. રાજ્યસભા સાંસદે કહ્યું છે કે, કોમેડી શોની એક શરત એ હશે કે તેનો વિષય દિગ્વિજય સિંહ હશે.

સોમવારે સવારે, તેમના ટિ્‌વટર હેન્ડલ પેજ પર કૃણાલ કામરા અને મુન્નાવર ફારૂકી પર કોમેડી શોને આમંત્રણ આપતા, કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું કૃણાલ, તમારા અને મુન્નાવર માટે ભોપાલમાં કોમેડી શોનું આયોજન કરું છું. તેના આયોજનની તમામ જવાબદારી મારી રહેશે.

જાે કે, દિગ્વિજય સિંહે આ શોનાં સંચાલનને લઈને એક શરત પણ ઉમેરી છે. તેમણે કહ્યું કે, માત્ર દિગ્વિજય સિંહ જ શોનો વિષય હશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સંઘીઓને આની સામે વાંધો ન હોવો જાેઈએ. તેમણે બન્ને કોમેડિયનને કહ્યું કે આવો ડરશો નહીં. તમારી અનુકૂળતા મુજબ તારીખ અને સમય આપો. તમારી બધી શરતો સ્વીકારવામાં આવે છે.

કોંગ્રેસનાં નેતાએ એવા સમયે ભોપાલમાં કોમેડી શોને આમંત્રણ આપ્યું છે જ્યારે બન્ને કોમેડિયનનાં શો રદ કરવામાં આવ્યા છે. હાલમાં જ કૃણાલ કામરાનો બેંગલુરુમાં શો કેન્સલ કરવામાં આવ્યો હતો. શો કેન્સલ કરવા પાછળ બે કારણો આપવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્થળ પર ૪૫ લોકોનાં એકત્ર થવા માટે પરવાનગી લેવામાં આવી ન હોતી, જ્યારે કૃણાલ કામરાનાં શોને બંધ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.