Western Times News

Gujarati News

ભારતનું અનોખું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ નથી

નવી દિલ્હી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવનારી વેબસાઈટ ટેસ્ટબુક અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૧૭ના રોજ ભારતમાં કુલ ૭૩૪૯ નાના અને મોટા રેલવે સ્ટેશનો હતા. તે બધાના જુદા જુદા નામ છે સિવાય એકના! હા, ભારતમાં એક એવું સ્ટેશન છે જેનું નામ નથી. આ હકીકત લોકોને આશ્ચર્યચકિત કરે છે.

સ્ટેશનથી ટ્રેનો પકડનારા લોકો પણના મગજ પણ ચકરાઈ જાય છે. સાંભળવામાં આ વિચિત્ર લાગી શકે છે, પરંતુ તે સાચું છે કે બંગાળમાં બર્દવાન જિલ્લામાંમાં એક અનામી રેલ્વે સ્ટેશન છે. બર્દવાન શહેરથી લગભગ ૩૫ કિલોમીટર દૂર એક ગામ છે રાયના. ૨૦૦૮માં અહીં એક નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ત્યારથી આ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું નથી.

આ કારણસર, તે ભારતના હજારો સ્ટેશનોનું એકમાત્ર સ્ટેશન છે જેનું નામ નથી. અનામી સ્ટેશનના નામ ના હોવાનું કારણ રાયના અને રાયનગર ગામોના લોકો વચ્ચેના મતભેદનો છે. ૨૦૦૮ પહેલા તેમના જ નામે રાયનગરમાં એક રેલવે સ્ટેશન હતું, પરંતુ સમસ્યા એ હતી કે ટ્રેન અટકે તે પહેલાં લગભગ ૨૦૦ મીટર પહેલા નેરોગેજ રૂટ હતો. આ રેલ માર્ગને બાંકુરા-દામોદર રેલવે રૂટ કહેવામાં આવતો હતો.

ત્યાં બ્રોડગેજ શરૂ કરવામાં આવ્યું ત્યારે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ રાયના ગામ હેઠળ કરવામાં આવ્યું હતું. તે મસાગ્રામ નજીક હાવડા-બર્દવાન માર્ગ સાથે જાેડાયેલો હતો. રાયના ગામના લોકોએ સ્ટેશનનું નામ રાયનગર ન રાખવાનો આગ્રહ રાખતા સમસ્યા ઉભી થઈ હતી. તેમણે કહ્યું કે જાે સ્ટેશન રાયના ગામમાં હોય તો નામ પણ રાયના સ્ટેશન હોવું જાેઈએ.

આ વિવાદને કારણે સ્ટેશનનું નામ આપવામાં આવ્યું ન હતું. આ સ્ટેશન પર બાંકુરા-મસાગ્રામ ટ્રેન દિવસમાં ૬ વખત આવે છે. સ્ટેશન પર પહેલી વાર આવે તેવા કોઈપણ મુસાફરને ખૂબ આશ્ચર્ય થાય છે કારણ કે તે સમજી શકતો નથી કે સ્ટેશનનું નામ શું છે. ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોને પણ ખબર નથી કે તેઓ કયા સ્ટેશન પર ઉતર્યા છે.

પ્લેટફોર્મની બંને બાજુ કોઈ નામ લખવામાં આવ્યું નથી. શહેરોને પૂછવામાં આવે તો તેઓ શોધી કાઢે છે કે તેઓ કયા ગામમાં પહોંચ્યા છે. ગામ લોકોએ તેમની અરજીઓ સાથે જિલ્લા અદાલતનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ છે પરંતુ કોર્ટે ઘણા કારણોસર તેમની અરજી નકારી કાઢી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.