બામરોલી ખુર્દ ગામના લોકો કેડસમા પાણીમાં થઈને જીવના જાેખમે નદી પાર કરવા મજબૂર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામે અંતિમ સ્થાન તરફ જતાં રસ્તા પર નાળા ની સુવિધા નહિ હોવાથી લોકો એ જીવ ના જાેખમે નદી ના પાણી ના વહેણ માંથી નનામી લઈ પસાર થવું પડી રહ્યું છે.
આ અંગે ગ્રામજનોએ રાજકીય નેતાઓ સહિત તંત્રને પણ રજુઆત કરી છે પરંતુ સમસ્યા નું સમાધાન થયું નથી. ગોધરા તાલુકાના અંદાજે ૧૦, હજાર ની વસ્તી ધરાવતા વાવડી ખૂર્દ બે વિભાગમાં પહોંચેલું છે. એમાં વચ્ચેથી નદી પસાર થાય છે .
દર ચોમાસે નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને પસાર કરીને બામરોલી ખૂર્દના રહીશો અને વિદ્યાર્થીઓને અવર-જવર કરવી પડતી હોવાની મુશ્કેલીઓની વર્ષોથી રજૂઆતો કરાઈ રહી છે. પરંતુ વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા આ નદી ઉપર નાળુ કે પુલ બનાવવા માટે બિલકુલ તૈયાર નથી ના આક્ષેપ વચ્ચે સ્થાનિકો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
જાે કે આ અંતિમ વિધિ નું સ્થાન ગામ માંથી વહેતી એક નદી ના પેલે પાર આવેલ છે અને નદી ની સામે પાર જવા માટે હાલમાં નદી પર નાળા ની સુવિધા ન હોવાથી અંતિમ યાત્રા વખતે મૃત્યુ પામનાર વ્યક્તિ ની નનામી ને લોકો ભેગા થઈ એક બીજા નો સહારો લીધા બાદ નદી ના પાણી ના મધ્ય માંથી કાઢી બાદ માં અંતિમ સ્થાને પહોંચાડતાં હોય છે. આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષો થી છે
અને અહીંના સ્થાનિક લોકો એ નદી પાસે નાળા બનાવવા માટે ઠેર ઠેર રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી એનું નિરાકરણ આવ્યું નથી.પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આ સમસ્યા ના ઝડપી નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરે અને અંત્યેષ્ટિ માટે લોકો ને પડતી મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરે એવી સ્થાનિકો એ માંગ કરી હતી.