Western Times News

Gujarati News

કપડવંજ ના વેપારીઓએ લોકડાઉન – ૩ ના ત્રીજા તબક્કામાં બંધ પાળવાનો નિર્ણય કર્યો

કોરોનાવાયરસ ની સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી ના સંદર્ભમાં લોકડાઉન – ૩ ના ત્રીજા તબક્કામાં તા.૪-૫-૨૦ થી તા.૧૦-૫-૨૦ સુધી સ્વયંભૂ રીતે બંધ રાખવા માટે કપડવંજના વેપારીઓએ નિર્ણય કર્યો છે. કપડવંજ પ્રાંત કચેરીમાં આ માટે વેપારીઓએ એક મિટિંગમાં ચર્ચા વિચારણા કરી હતી અને સત્તાવાળાઓને તેમની મુશ્કેલીઓ અંગે રજૂઆતો પણ કરાઇ હતી કપડવંજ વેપારી મહાજન વતી જયેશભાઈ શાહ(જયેશ કીરાણા વાળા)એ આ મિટિંગમાં સ્વૈચ્છિક રીતે આવશ્યક ચીજવસ્તુ સિવાય ના બજારો બંધ રાખવા અંગે સંમતિ દર્શાવી હતી. આ મિટિંગમાં કપડવંજ નગરપાલિકા તેમજ રેવન્યુ અને પોલીસ સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.