Western Times News

Gujarati News

ભરૂચના બરાનપુરા ખાતે મકાનની દીવાલ ધસી પડી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે અનેક જર્જરિત ઈમારતો ધસી પડવાની ઘટનાઓ સાથે દીવાલો પર ધસી પડવાની ઘટનાઓ બની રહી છે.ત્યારે આજે બરાનપુરા ખત્રીવાડ ના એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડતાં લોકો પોતાનો જીવ બચાવી બહાર નીકળી ગયા હતા.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ભરૂચના ધોળીકુઈ બજાર માં આવેલ બરાનપુરા ખત્રીવાડ નજીક આવેલ જર્જરિત દીવાલ નો કેટલોક હિસ્સો વરસાદી માહોલ માં ધસી પડતા લોકો પોતાનો જીવ બચાવી બહાર નીકળી ગયા હતા.જોકે દીવાલ ધસી પડી હોવાની ઘટના સામે આવતા ભરૂચ નગર પાલિકા ના ફાયર ફાયટરો દોડી ગયા હતા અને જગ્યા ને કોર્ડન કરી કાટમાળ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર પાલિકા પણ જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માત્ર નોટીસ જ પાઠવી રહી છે.ત્યાર બાદ કોઈ નક્કર નિર્ણય ન લેતી હોવાના કારણે અનેક વાર જર્જરિત ઈમારતોને ધસી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.