Western Times News

Gujarati News

ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુ કોરોના પોઝિટિવ

અમદાવાદ: ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર માહિતી સામે આવશે. ખાસ વાત તો એ છે કે, રિપોર્ટ આવે ત્યાં સુધી આ યાત્રાળુઓ ઋષિકેશ જવા રવાના થઈ ગયા છે.યાત્રાળુઓ પોઝિટિવ હોવા છતાં ઋષિકેશ જવા થયા રવાનાકોરોના પોઝિટિવ યાત્રાળુઓ ગુજરાતી આશ્રમમાં રોકાયા હતા

ઋષિકેશમાં આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર માહિતી સામે આવશે. ખાસ વાત તો એ છે કે, રિપોર્ટ આવે ત્યાં સુધી આ યાત્રાળુઓ ઋષિકેશ જવા રવાના થઈ ગયા છે. આ સૂચના પછી આરોગ્ય વિભાગની ટીમ હવે આ યાત્રાળુઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.આરોગ્ય વિભાગની ટીમ હવે આ યાત્રાળુઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની તૈયારી કરી છે આ અંગે મળતી માહિતી અનુસાર, ઋષિકેશના મુનીની રેતી વિસ્તારમાં બસ લઈને ૨૨ યાત્રાળુઓ આવ્યા હતા.

જાેકે, આ તમામ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૪ દિવસ પહેલા મુનીની રેતી ચેકપોસ્ટ પર આ યાત્રાળુઓએ ટેસ્ટ કરાવ્યો હતો. સોમવારે આ તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તમામ યાત્રાળુઓ ઋષિકેશથી નીલકંઠ મહાદેવ મંદિર ગયા અને ત્યાંથી મુનિની રેતીના શીશી ઝાડી સ્થિત એક ગુજરાતી આશ્રમમાં રોકાયા હતા. આ સૂચના પછી આરોગ્ય વિભાગની ટીમ હવે આ યાત્રાળુઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.