Western Times News

Gujarati News

અમદાવાદ ૨૦૦૮ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદી સલમાનની ધરપકડ કરાઈ

અમદાવાદ: વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની ધરપકડ કરી છે. જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલામનની ધરપકડ કરાઈ છે. સલમાનની ૨૦૦૮ બ્લાસ્ટ કેસમાં મહત્વની ભૂમિકા હતી. હાલ તેને આતંકી સલમાનને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરાઈ છે. સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્ર આયોજન કર્યું હતું.

વર્ષ ૨૦૦૮નો બ્લાસ્ટ અમદાવાદ જ નહિ, પણ જયપુર બ્લાસ્ટ કેસનો પણ આરોપી છે. આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યાર બાદ તે રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો. અમદાવાદ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં સલમાનની મહત્વની ભૂમિકા હતા. બોમ્બ ક્યારે મૂકવો, કયા સમયે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો, તથા બોમ્બ કેટલી તીવ્રતાથી ફૂટશે અને તેની કેટલી અસર થશે તેની તમામ માહિતી સલમાન પાસે હતી. તે ઉત્તરપ્રદેશના આઝમગઢના સાંઝાપુરનો રહેવાસી છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં તેના રિમાન્ડ મેળવશે તેના બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. જેના બાદ તે અમદાવાદ કેવી રીતે આવ્યો હતો અને અહી ક્યાં ક્યાં રોકાયો હતો તે દિશામાં તપાસ કરાશે.

અમદાવાદના ૨૦૦૮ના બ્લાસ્ટની વાત કરીએ તો, આ બ્લાસ્ટે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. જેમાં કુલ ૫૫ લોકોના મોત નિપજ્યા હતા. તો સાથે જ ૨૪૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસે ૯૯ આતંકીઓની ઓળખ કરીને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાંથી ૮૨ આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા. તો ૩ આતંકીઓ પાકિસ્તાન ફરાર થઈ ગયા હતા. તેમજ ૩ આતંકી અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જેલમાં સજા કાપી રહ્યાં છે. તો એક આરોપી સીરિયા ભાગી ગયો છે. તેમજ એક આરોપી એન્કાઉન્ટરમાં મરાયો છે.

આતંકી સલમાનની જયપુર બ્લાસ્ટમાં પણ મહત્વની ભૂમિકા હતી. તેથી તેને જયપુર બ્લાસ્ટમાં ફાંસીની સજા કરવામાં આવી છે. અત્યાર સુધી તે જયપુરની જેલમાં સજા કાપી રહ્યો છે. તેને ટ્રાન્સફર વોરન્ટથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. વર્ષો બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સલમાનને લાવવામાં સફળતા મળી છે. સલમાનને અમદાવાદ લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા વર્ષો સુધી ચાલી રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક જ માંગ હતી કે, સલમાનને ફાંસીની સજા જયપુરમાં થઈ હતી, તે અમદાવાદ બ્લાસ્ટમાં પણ આરોપી હોવાથી તેને અમદાવાદ પણ લાવાવમાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.