Western Times News

Gujarati News

અમદાવાદની સિવિલ હોસ્પિ.માં કોરોનાગ્રસ્ત બાળકનું મોત

Files Photo

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં નાની ઉંમરના લોકો પણ આવી રહ્યા છે. સુરતમાં તો કોરોનાનો ચેપ લાગ્યા બાદ ૧૩ વર્ષના એક છોકરાનું મોત પણ થઈ ચૂક્યું છે, જ્યારે અમદાવાદ મંગળવારે વધુ એક કોરોનાગ્રસ્ત બાળકનું મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા ૧૫ દિવસમાં ૪ બાળકો મોતને ભેટ્યા છે. આ બાળકોને અગાઉથી જ ગંભીર બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે સપ્તાહમાં ચાર કોરોના પોઝિટિવ બાળકોનાં મોત થયાં છે.

કોરોનાથી સંક્રમિત થયેલા બાળકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. કોરોના બાળકોમાં ગંભીર અસર પેદા કરે છે. રિપોર્ટ મુજબ છેલ્લા એક સપ્તાહથી સિવિલ હોસ્પિટલમાં ૧૦ બાળકો સારવાર હેઠળ હતાં અને તેમાંથી ૨ બાળકોની હાલત ગંભીર હતી. ૨૩ માર્ચ- અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.

૩ એપ્રિલ- મેમનગરમાં ૯ વર્ષીય બાળકીનું મોત, કો-મોર્બિડ સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૫ એપ્રિલ- ચાંદલોડિયાના ૮ વર્ષીય બાળકનું મોત થયું હતું અને ૬ એપ્રિલ- વધુ એક કોરોનાગ્રસ્ત બાળકનું મોત શહેરની સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.

કોરોનાની બીજી લહેરમાં તેની ઝપેટમાં આવનારા મોટાભાગના લોકો ૪૫-૫૦થી ઓછી વયના છે. સુરતમાં ૧૩ વર્ષના એક છોકરાનું મોત પણ થઈ ચૂક્યું છે, જે ખરેખર ચોંકાવનારી બાબત છે. જે લોકો કામકાજ માટે ઘરની બહાર રોજેરોજ જઈ રહ્યા છે તેમને ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા કેસમાં પેશન્ટ ટેસ્ટ કરાવવામાં મોડું કરતો હોવાથી ચેપ અન્ય લોકોને પણ લાગી જાય છે, અને તેની પોતાની સ્થિતિ પણ ગંભીર બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.