Western Times News

Gujarati News

GMERSનાં ડૉક્ટર અને નર્સની હડતાળ સમેટાઈ ગઈ

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન સાથે પુનઃ બેઠક યોજવામાં આવશે

ગાઁધીનગર: ગઈકાલે આખો દિવસ પોતાની માંગણીઓ માટે આંદોલન કર્યા બાદ મોડી રાત સુધી જીએમઈઆરએસના તબીબ અને નર્સની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક ચાલી હતી. આ બેઠકમાં સરકારનુ હકારાત્મક વલણ સામે આવ્યું છે. જેમ બને તેમ ઝડપી ડ્યુટી જાેઈન કરવાનુ એસોસિએશન દ્વારા ર્નિણય કરાયો છે. ફરીથી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સાથે હડતાળના મુખ્ય લોકોની સાથે બેઠક યોજાશે. આમ, હાલ પુરતી સ્ટ્રાઇક સ્થગિત કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પુનઃ ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન સાથે પણ બેઠક યોજવામાં આવશે. મોભાગના મુદ્દાઓ ઉપર રાજ્ય સરકારનું સમાધાનકારી વલણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ત્યારે આજે બપોરે બેઠક થયા બાદ આખરી ર્નિણય લેવાશે. જાેકે, બીજી તરફ, ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનનો વિરોધ યથાવત છે. તેઓ હડતાળ સમેટવાના મૂડમાં હજી પણ નથી. સરકારે નોન પ્રેક્ટિસ એલાઉન્સ, કોન્ટ્રાક્ટ ભરતી રદ્દ અને પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટ અંગેની માગણીઓ ના સ્વીકારતા ડોક્ટરોની નારાજગી યથાવત છે. કુલ ૧૪ માગણીઓમાંથી સરકારે ૧૦ માગણીઓનો સ્વીકાર કરાયો છે. જાેકે હજુ લેખિતમાં માંગણીઓ અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ ૧૦ જેટલી માંગણીઓ સરકાર જાે સ્વીકારી લે તો જ ડોક્ટરો કોવિડ અને ઇમરજન્સી સેવાઓ શરૂ કરશે. હજુ પણ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનના ૧૭૦૦ જેટલા ડોક્ટરો નોન કોવિડ ડ્યુટીથી અળગા રહેશે.

જીએમઈઆરએસના તબીબો અને નર્સિંગ સ્ટાફની હડતાળના બીજા દિવસે ગુરુવારે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસકાફલો ખડકી દેવાયો હતો. દરમિયાન જીએમઈઆરએસના પૂર્વપ્રમુખ ડૉ. ગૌરીશંકરને નજરકેદ કરાયા હતા. જાેકે, ૪ કલાક બાદ મુક્ત કરી દેવાયા હતા. આ ઘટનાને પગલે તબીબોમાં રોષ ફેલાયો હતો.મોડી રાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હડતાળિયા તબીબોના ૨ પ્રતિનિધિને પ્રશ્નોની ચર્ચા કરવા બોલાવ્યા હતા. જાેકે લાંબી વાટાઘાટો બાદ તબીબોના ૨ તથા નર્સિંગ સ્ટાફના ૧ મળી ૩ પ્રતિનિધિ ગૃહમંત્રીને મળવા પહોંચ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.