Western Times News

Gujarati News

અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ૧૧મી જુન સુધી બંધ રહેશે 

અંબાજી: ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે ૧૧મી જુન સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પહેલા ૪થી જુન સુધી મંદિર બંધ રહેવાનું હતું પરંતુ કોરોના સંક્રમણમાં સાવચેતીના પગલા રૂપે મંદિર ખોલવામાં એક સપ્તાહ લંબાવાયું છે. ગુજરાત અને દેશના વિવિધ રાજયોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતા આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું છે.

ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતાં આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. અંબાજીના ભાવિક ભક્તોને હજી ૧૧મી જૂન સુધી પ્રતિક્ષા કરવી પડે તેમ છે, કેમ કે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અવધિ લંબાવવાનો ર્નિણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શામળાજી પછી અંબાજી મંદિરમાં ભાવિક ભકતો માટે ટ્રસ્ટ દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે આ મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહી. મંદિરના પ્રવેશદ્વારે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શામળાજી મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરીને આવનારા ભકતો માટે પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન પુરૂષ અને મહિલાઓએ કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.