Western Times News

Gujarati News

આયુર્વેદ- ઘૂંટણના સાંઘાનો દુઃખાવામાં “આમ”નો સન્ચય

ઉંમરનાં કારણે થતો ઘસારો : ઉંમર વધવાની સાથે ઘસારો વધતા સાંધાનો દુઃખાવો થાય છે. આ તકલીફ ઘૂંટણ, થાપા અને કમરના સાંધામાં વધારે જોવા મળે છે.

ઘૂંટણના સાંધાના દુઃખાવા માટે જવાબદાર આર્થ્રાઇટીસ. આર્થ્રાઇટીસ એટલે શું ?

આર્થ્રાઇટીસ એટલે સાંધા નો દુઃખાવો અથવા સોજો. આર્થ્રાઇટીસ ઘણાં પ્રકારનાં હોય છે. તેના ત્રણ મુખ્ય પ્રકારો છે. સંધિવા : આ એક ઓટોઇમ્યુન રોગ છે જે જુદાં જુદાં સાંધાને અસર કરે છે. ગઠીયો વા : જેમાં શરીરમાં અમુક તત્વોનું પ્રમાણ વધી જવાથી સાંધામાં દુઃખાવો થાય છે અને સોજો આવે છે. ઘસારો થવાનાં કારણે જે મજ્જા હાડકાની આજુબાજુ આવેલી છે તેમાં પાણી ભરાવાનું ચાલુ થાય છે, નાની નાની તીરાડો બને છે અને હાડકાની સપાટી પર નાની હાડકીઓ (ઓસ્ટીઓફાઇટસ) બને છે. આના કારણે સાંધાના હલનચલનમાં તકલીફ થાય છે.

ઘણીવાર મજ્જાનો નાનો ભાગ સાંધાની અંદર આવી જાય છે અને વધારે દુઃખાવો કરે છે. મજ્જાનો ઘસારો વધારે ને વધારે થવાથી, સાંધાનો ભાગ વધારે નાનો થાય છે અને હાડકા માનવીના જીવનની અર્ધી સદીની આસપાસ આ રોગ તેનાં થાણાં જમાવે છે. થાણાં એટ્લા માટે કહું છું કે ભારે પ્રયત્નો પછી,ભારે સામના પછી જ આ રોગ પીછેહઠ કરે છે.

મુખ્યત્વે વાત અને રક્તની વિકૃતિથી આ રોગનો ઉદભવ થાય છે. તેમાં તિવ્ર પીડા અને ઘૂંટણનો સોજો મુખ્યતવે જોવા મળે છે. આ રોગ ક્યારેક બન્ને પગે અથવા તો ઘીમે ધીમે બન્ને પગે ફેલાતો જાય છે. આ સૂજેલા ઘૂંટણવાળા ભાગ તપાસતાં અંદરનાં ભાગમાં કોઇ જાડું પ્રવાહી ભર્યું હોય તેમ દબાવતાં ખ્યાલ આવે છે.

9825009241

આયુર્વેદે આમ શબ્દ વાપર્યો છે તે સાંધાંઓ ઉપર છવાયેલો આમનો ખૂબ જ ભારે જથ્થો સૂચવે છે. આ રોગમાં પગ લાંબો કે ટૂકો કરવો હોયતો રોગીને ખૂબ જ વસમું લાગે છે.થોડાં ડગલાં ચાલતા જ ભારે પીડા થવા માંડે છે અને ચાલવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ આ રોગમાં સર્જાય છે. તેમા મુખ્યત્વે વેદના, સંધીઓમાં કંપન joint stiffness અને અંગ વિકૃતિ-Deformity જોવા મળે છે.

કારણો :ચિકિત્સાક્ષેત્રેના અનુભવ ઉપરથી એમ તારણ કાઢવામાં આવ્યું છે કે, ઘૂંટણના સાંધાં ના સોજાને મેદસ્વી વ્યક્તિઓ સાથે સીઘો સંબંધ છે. જેમ શરીરનો મેદ-ચરબી વધારે અને જેમ જેમ ઉપર વજન વધુ પડે તેમ તેમ આ સાંધાં ઉપર ભારણ વધુ પડે.કેટલાક કુંટુંબમાં આ રોગ વારસાગત ઊતરે છે તેનું મૂળભૂત કારણ દોષ-દૃષ્ટિ છે.

જેથી આ રોગને વારસાગત માનવો ભૂલ ભરેલું છે. સાંધાના રોગો, માર વાગવો, સાંધાંની લીસ્સી સપાટી ખરબચડી બની જાય છે, જેના કારણે ઘૂંટણના સાંધાં વધુ પ્રમાણમાં ઘસાય છે. વિરૂધ્ધ આહાર વિહારથી લોહીમાં એક પ્રકારની ખટાશ વધે છે તથા ક્ષારનો ભાગ ઘટે છે.અપક્વ અન્ન અને અજીર્ણ એનું કારણ છે.ઠંડી અને શરદીમાં વધુ પડતી ખટાશ ખાનારને, વધુ શીતળ હવામાન તથા શીતળ આહાર-વિહારના સેવનથી લોહીમાં વિકાર થાય છે અને લોહીમાં ખટાશ વધવાથી ઘૂંટણના સાંધાં પકડાય છે.

આ સાંધાંઓમાં સોજો આવે છે, ભારે પીડા થાય છે અને જેને શૂળ જેવી વેદના કહીએ તેવી વેદના સાથે તોદ્રવત્ એટલે કે એ ભાગ તૂટી પડતો હોય એટલી ભારે પીડા થાય છે, જેથી ઘૂંટણ વાળવામાં પીડા થતી જોવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જોવામાં આવે છે.પ્રમેહ કે ચાંદી જેવા રોગોમાં,સુવાવડ કે કસુવાવડ પછી મધુ-મેહની જીર્ણ અવસ્થામાં અને ચરબીથી લદાયેલા માનવીઓને આ રોગ વિશષ પ્રમાણમાં થાય છે.

લક્ષણો-આજકાલ પગના ઘૂંટણ ઝલાઇ ગયાની ફરિયાદ વધુ જોવામાં આવે છે. કારણ કે,આપણી વધતી જતી એશ-આરામી રહેણી-કરણી,અતિ ભારે ખોરાક અને પુષ્કળ આરામના કારણે શરીરમાં પરિગ્રહ વધે છે.તેથી વગરશ્રમે થાક લાગે છે.પેશાબની હાજત વધે છે તેમજ વાયુના ઉપદ્રવો અને બેચેનીની અસર જણાય છે.

આમનો સંચય જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ તે ઘૂંટણના સ્ત્રોતોમાં એકઠો થતો જાય છે.અસહ્ય વેદનાને લીધે કોઇ કાર્ય કરી શકાતું નથી.પરિણામે ખૂબજલાંબા સમય સુધી હેરાનગતી ચાલુ રહે છે.આ વ્યાધી મોટેભાગે મોટી ઉંમરમાં જોવામાં આવે છે.પણ ઠીક ઠીક પ્રમાણમાં થતા જોવામાં આવે છે. એક યા બન્ને પગના ઘૂંટણનો દુ:ખાવો એ મુખ્ય ફરિયાદ હોય છે.રોગની શરૂઆતમાં સવારે ઊઠ્યા પછી થોડીવાર ઘૂંટણ દુ:ખે છે અને થોડી હરફર થયા પછી દુ:ખાવો ઓછો થઇ જાય છે.

ચાલવાથી ધીમે ધીમે દુ:ખાવો વધે છે,એક સાથે વધુ ચાલવામાં આવે તો સોજો અને કળતર વધી જાય છે.સમય જતાં આ દુ:ખાવો કાયમનો બની રહે છે.દુ:ખાવાના કારણે ઢીંચણથી પગ સીધો કરી શકાતો નથી,ક્યારેક પગ લંગડાય છે,ક્યારેક પગ ખોટો પડી જતો હોય તેમ લાગે છે.અને તેના હલનચલનમાં કટ્ કટ્ અવાજ પણ આવે છે.પલાંઠી વાળીને કે ઉભડક બેસવામાં તેમજ દાદર ચઢવા-ઉતરવામાં ખૂબ દુ:ખાવો થાય છે. ઘૂંટણના પાછળના ભાગની નસો ખેંચાય છે તેવી રોગી ફરિયાદ કરે છે.

આ રોગો મોટાભાગે કષ્ટસાધ્ય અને અસાધ્યની કક્ષાની ગણત્રીના છે.કૌષ્ટુક શીર્ષને પાશ્ર્ચાત્ય વૈંદકમાં Synovite કહે છે. ઘૂંટણના ભાગમાં ભરાયેલા આ દોષને-આમને, સીંરીજ -પિચકારી-થી બહાર ખેંચી લઇ પીડા ઓછી થાય તે માટે ઝૂલેકેઇન કોર્ટીઝોનનું મિશ્રણ આ સંધિમાં આપવામાં આવે છે.

પરિણામે કેટલાક દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે.પણ સમય જતાં ફરીથી આ રોગનો હુમલો થઇ આવે છે ત્યારે ફરીથી આ ઔષધોનાં ધારવા જેટલા પરિણામ આવતાં નથી.એ હકિકત પરત્વે પણ ઠીક ઠીક વિચારણા આ ઔષધો વાપરવા પરત્વે માગી લે છે. આયુર્વેદતો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય, આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે.આ રોગમાં પણ મહારાસ્નાદિ કવાથ સાથે એંરડતેલનો ઉપયોગ અને આહારમાં લઘુ ભોજન અને લંઘનને વધુ મહત્વ આપે છે.

મારી ચિકિત્સા માટે આવતા આ રોગના રોગીઓમાં મારો અનુભવ એમ કહે છે કે,એક રોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું, એટલે કે રોગીની પ્રકૃતિ, રોગની અવસ્થા સાથે જુદાં જુદાં ઔષધોની યોજના યોજું છું, સામાન્ય રીતે વાતવિધ્વંસ રસ, એકાંગવીર રસ, વાતચિંતામણિ રસ, મલસિંદુર, મહા યોગરાજ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ, સિહંનાદ ગૂગળ તથા મહા રાસ્નાદિ કવાથ સાથે તૈયાર કરેલ એંરડતેલ તેનો ઉપયોગ સવિશેષ રીતે કરું છું.

અને ઉપરનાં ઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા સૂચવું છું. આ રોગના રોગી મેદસ્વી હોયતો ક્રમશ: વજન ઘટાડવું ખૂબજ મહત્વનું છે અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાં સુધી આ રોગને કાયમનો મટાડવો પણ દુષ્કર બની જાય છે. માટે સાથે સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.

આ રોગની કોઇ પણ અવસ્થામાં રેતીનો શેક, વાતહર વનસ્પતિઓનું સ્વેદન, વાતહર લેપો, તથા સૂર્યના કિરણો સતત લાભકારી મને જણાયાં છે. આ રોગના રોગીને જો મધુમેહનો ઉપદ્રવ હોયતો મધુપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી લોહીના ઊંચા દબાણમાં પણ ઉપરનાં સૂચવેલાં ઔષધો ખૂબજ સમજપૂર્વક વાપરવા જોઇએ.

ઉપચારો- મહારાસ્નાદિ કવાથ: 20 ગ્રામ અને પુનર્નવાષ્ટક કવાથ 20 ગ્રામ. આ બન્ને કવાથો શાસ્ત્રોક્ત છે.જાણીતી ફાર્મસીમાંથી મેળવી લઇ 20-20 ગ્રામ ભૂકો બન્નેમાંથી લઇ, ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી સવારે નરણા કોઠે પીવું. મેથી ભુકો કરી 1 ચમચી, 1 કપ પાણીમાં ઉકાળી, ગાળી નિયમિત રીતે સવાર-સાંજ પીવું. આ રીતે ન પી શકાયતો મેથીનો ભૂકો કરી એરંડતેલમાં શેકી બાટલી ભરી લેવી અને 1 ચમચી સવારે ગરમ પાણી અથવા ગરમ પીણા સાથે લેવી. આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડી- ટીકડી ના ઘટકો : શુધ્ધ ગુગળ 120 મિલિ ગ્રામ, સુવર્ણ ભસ્મ 1.2 મિલિ ગ્રામ, ત્રિબન્ગ 30 મિલિ ગ્રામ, સુરંજાનશીરી 15 મિલિ ગ્રામ, હિરાબોળ 15 મિલિ ગ્રામ, શુધ્ધ કારસ્કર 30 મિલિ ગ્રામ, લસણ 30 મિલિ ગ્રામ, ચંદ્રોદય 30 મિલિ ગ્રામ. આયુર્વેદનું કહેવુ છે કે વાયુના પ્રકોપ વગર પીડા થતી નથી

વિકૃત બનેલો વાયુ વૃધ્ધિ પામી આમ રક્ત સાથે મળી શરીરના જે જે ભાગમાં જાય છે તે ભાગમાં પીડા વેદના પેદા કરે છે. આ ટીકડીમાં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને તે માટે ચંદ્રોદય અને સુવર્ણ ભસ્મનું સૌમ્ય પ્રમાણ આ યોગમાં યોજવામાં આવ્યું છે. જેથી તેની અસર ખૂબજ ઝડપી બને છે.

ગુગળ વાત રોગનું પ્રમાણિત ઔષધ છે. એટલુંજ નહીં પણ તેનો પ્રભાવ વેદનાહર, વાતહર, શોથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુની વિકૃતિઓને મટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે. ગુગળ સાથેના અન્ય દ્રવ્યો જેવા કે લસણનો વાતહરગુણ, સુરજાનનો સંધીવાતહર ગુણ, હીરાબોળનો પીડા શામક ગુણ, કારસ્કરનો નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિબન્ગનો આમદોષ નિવારણ ગુણનો સુમેળ આ ટીકડી માં કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.