Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, શાહરૂખ ખાન વિકી કૌશલથી નારાજ છે

મુંબઈ, બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન વિકી કૌશલથી એક ડાયલોગના કારણે નારાજ છે અને આ વાતનો ખુલાસો ‘ધ કપિલ શર્મા શો’ના કલાકાર કિકુ શારદાએ કર્યો છે. તમને થશે કે શાહરૂખ ખાન અને વિકી કૌશલ વચ્ચેની વાતની કિકુ શારદાને કેવી રીતે ખબર? વાત એમ છે કે, વિકી કૌશલ અને ફિલ્મમેકર સૂજિત સરકાર કોમેડી શોના અપકમિંગ એપિસો મહેમાન બનવાના છે.

તેઓ તેમની અપકમિંગ ફિલ્મ ‘સરદાર ઉધમ’ને પ્રમોટ કરવા માટે કપિલ શર્મા શોમાં આવશે. ધ કપિલ શર્મા શો’ના મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. જેમાં કિકુ શારદા વિકી કૌશલને કહે છે કે ‘તું શાહરૂખ ખાનને જાણે છે ને? તે તાારાથી નારાજ છે. તેઓ કહી રહ્યા છે કે ‘આ વિકી કૌશલે અત્યારસુધીમાં મારી ફિલ્મ ‘જાેશ’ કેમ નથી જાેઈ?’. આ વાતથી વિકી કૌશલને પણ આશ્ચર્ય થાય છે અને તે કપિલ શર્માની સામે જુએ છે, ત્યારે કોમેડિયન કિકુ શારદાને પૂછે છે કે ‘વિકી કૌશલે ફિલ્મ નથી જાેઈ તેની તને કેવી રીતે ખબર?’.

તેના પર કિકુ શારદા કહે છે ‘કારણ કે આ બધાને પૂછતો રહે છે- હાઉ ધ જાેશ?’. જણાવી દઈએ કે, શાહરૂખ ખાન વિકી કૌશલથી નારાજ નથી. પરંતુ કિકુ શારદાએ એક્ટરની ‘ઉરી’ ફિલ્મના ડાયલોગને એસઆરકેની ફિલ્મ સાથે જાેડીને નાનકડી મજાક કરી હતી.

૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ હિટ ગયા બાદ તેનો ડાયલોગ ‘હાઉ ધ જાેશ?’ પણ પોપ્યુલર થયો હતો. વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની વાત કરીએ તો, તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે, જેમાં એક્ટર સ્વાતંત્ર્ય સેનાનીનું પાત્ર ભજવતો જાેવા મળશે. જેમાં તેની સાથે સ્ટિફન હોગન, બાનિતા સંધુ, ક્રિસ્ટી એવર્ટોન અને અમોલ પરાશર જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. એક્ટરની પર્સનલ લાઈફની વાત કરીએ તો, થોડા દિવસો પહેલા તે કેટરીના કૈફ સાથેના રિલેશનશિપના કારણે ચર્ચામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.