Western Times News

Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતની ફરીથી પસંદગી થઈ

નવીદિલ્હી,સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)ના ૨૦૨૨-૨૪ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઈ છે. ગુરુવારે ભારતે ‘સન્માન, સંવાદ અને સહયોગ’ના માધ્યમથી માનવાધિકારોના પ્રચાર અને સંરક્ષણ માટે કામ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો.
યુએનએચઆરસીમાં ભારતના સ્થાયી મિશને આભાર વ્યક્ત કરતા ટ્‌વીટ કરીને કહ્યું કે ભારત છઠ્ઠીવાર ભારે બહુમતથી યુએનએચઆરસી માટે ફરીથી ચૂંટાઈ આવ્યું છે.

ભારતમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રના સભ્યોનો હાર્દિક આભાર. અમે સન્માન, સંવાદ અને સહયોગના માધ્યમથી માનવાધિકારો માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આજેર્ન્ટિના, બેનિન, કેમરૂન, ઈરિટ્રિયા, ફિનલેન્ડ, ઝામ્બિયા, હોન્ડુરાસ, ભારત, કઝાકિસ્તાન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મલેશિયા, મોન્ટેનેગ્રો, પરાગ્વે, કતાર, સોમાલિયા, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકાની પસંદગી ગુપ્ત મતદાન દ્વારા કરી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.