Western Times News

Gujarati News

ગુજરાતના મધદરિયે બોટમાં ભીષણ આગ લાગી

કચ્છ, ગુજરાતનો દરિયો કિનારો વિશાળ હોવાથી અનેક માછીમારો માછીમારી કરવા માટે જતા હોય છે. આ દરમિયાન અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે ગુજરાતના મધદરિયે એક બોટમાં ભીષણ આગ લાગી હતી. મધદરિયે જ બોટમાં આગ લાગતા માછીમારો ફસાયા હતા.

જેઓને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડે ૭ ભારતીય માછીમારોના જીવ બચાવી લીધા હતા, એવું ડિફેન્સ પીઆરઓના એક નિવેદનમાં કહેવાયું છે. ગુજરાતના દરિયામાં માછીમારી કરવા માટે કેટલાંક માછીમારો ગયા હતા. એ સમયે જ મધદરિયે બોટના એન્જિનમાંથી ઈંધણ લીક થવાથી આગ લાગી હતી.

ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શીપ આરૂશના જવાનોને આ વાતની જાણકારી મળી હતી. ત્યારબાદ કોસ્ટ ગાર્ડના જવાનો આગ લાગેલી કળશ રાજ બોટ પાસે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ ૭ માછીમારોને બચાવી લીધા હતા. ડિફેન્સ પીઆરઓના નિવેદનમાં એવું પણ કહેવાયુ છે કે, આગની જાણ થતા જ આરૂશ બોટ તરત જ પહોંચી હતી.

ત્યારબાદ કોસ્ટ ગાર્ડના જવાનોએ આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. બાદમાં ૭ માછીમારોના જીવ પણ બચાવી લેવામાં આવ્યા હતા. જાે કે, બોટમાં એટલી ભયંકર આગ લાગી હતી કે કળશ રાજ બોટને બચાવી શકાઈ નહોતી અને અંતે તે ડૂબી ગઈ હતી.

કોસ્ટ ગાર્ડની બચાવ ટીમે સાતેય માછીમારોને બચાવી લીધા હતા અને બાદમાં તેઓેને બોટ પર લાવ્યા હતા. ત્યારબાદ તેઓને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. જાે કે, આરૂશ બોટ પેટ્રોલિંગ કરી રહી હોવાથી ભીષણ આગની જાણ થઈ હતી. બચાવી લેવામાં આવેલા માછીમારોને બાદમાં અન્ય માછીમારી કરી રહેલી બોટને સોંપીને ઓખા જવા માટે રવાના કર્યા હતા.

આ બોટ સોમવારે ઓખા પહોંચશે. જાે કે, જીવ બચી ગયા બાદ તમામ માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેઓને અન્ય એક માછીમારી કરી રહેલી બોટમાં ઓખા પહોંચવા માટે રવાના કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ પણ આવા અનેક કિસ્સાઓમાં માછીમારોના જીવ કોસ્ટ ગાર્ડની ટીમ બચાવી ચૂકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.