Western Times News

Gujarati News

અમિતાભને ખરાબ વ્યક્તિ સમજવા લાગી હતી કરીના

મુંબઈ, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની પર્સનલ લાઈફ અને ફિલ્મો સાથે સંકળાયેલા મજેદાર કિસ્સા શેર કરતા રહે છે. એક વાર અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ પુકાર સાથે સંકળાયેલો એક કિસ્સો શેર કર્યો હતો.

જેના કારણે કરીના કપૂર તેમને ખરાબ વ્યક્તિ સમજવા લાગી હતી. આ ચક્કરમાં કરીના કપૂરને એ સમયે ઈજા પણ પહોંચી હતી. અમિતાભ બચ્ચનની ફિલ્મ પુકાર ૧૮ નવેમ્બર ૧૯૮૩માં રિલીઝ થઈ હતી અને તાજેતરમાં જ આ ફિલ્મને રિલીઝ થયેલ ૩૮ વર્ષ થયા.

આ તકને લઈને અમિતાભ બચ્ચનની એક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં અમિતાભ બચ્ચને પુકાર ફિલ્મનો કરીના સાથે સંકળાયેલો એક કિસ્સો જણાવ્યો હતો. અમિતાભ બચ્ચને મે ૨૦૧૯માં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેઓએ પુકારના સેટ પરથી કરીના કપૂરની એક તસવીર શેર કરી હતી.

જેમાં અમિતાભ બચ્ચન રોઈ રહેલી કરીના કપૂરના પગ ધોતા અને દવા લગાવતા નજરે પડી રહ્યા છે. તસવીરની સાથે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આખો કિસ્સો પણ શેર કર્યો હતો. અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ફિલ્મ પુકારમાં તેમની વિરૂદ્ધમાં કરીનાના પિતા રણધીર કપૂર હતા. ફિલ્મમાં તેમની અને રણધીર કપૂર વચ્ચે એક એક્શન સિક્વન્સ હતી.

અમિતાભ બચ્ચનને રણધીર કપૂર પર હુમલો કરવાનો હતો અને તેમને લાત તથા મુક્કા મારવાના હતા. આ સીન દરમિયાન સેટ પર નાની કરીના કપૂર પણ હાજર હતી. શૂટિંગ ગોવામાં ચાલી રહ્યું હતું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, જ્યારે કરીના કપૂરે જાેયું કે તેઓ તેના પપ્પા રણધીર કપૂરને માર મારી રહ્યા છે, તો તે દોડીને તેના પપ્પા પાસે પહોંચી હતી.

કરીના કપૂર અમિતાભ બચ્ચનની લાતોથી પિતાને બચાવવાનો પ્રયાસ કરવા લાગી. આ ચક્કરમાં કરીના કપૂર પડી ગઈ હતી. ત્યારે કરીના કપૂર અમિતાભ બચ્ચને ખરાબ વ્યક્તિ સમજવા લાગી હતી. તે તેમને શૈતાન સમજવા લાગી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.