Western Times News

Gujarati News

કપડવંજ અને નડિયાદ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ૪નાં મોત

નડિયાદ, કપડવંજ-નડિયાદ રોડ પર મોડીરાતે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં કારમાં સવાર ૪ લોકોના મોત થયા છે જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છે જ્યારે અન્ય બે મૃતક વિરમગામના રહેવાસી છે. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ કઠલાલના પોરડા પાટીયા નજીક મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો.

સ્વીફટ કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન ટેન્કરને ઓવરટેક કરવા જતા કાર પલટી મારી હતી, જેમાં કારનો કચ્ચરઘાણ વળી જતાં અંદર સવાર પાંચ પૈકી ૪નાં મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની તસવીરો પણ સામે આવી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, અકસ્માત કેટલો કંભીર હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જે કારમાં અકસ્માત સર્જાયો તેમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને કઠલાલની ખાનગી હોસ્પિટલ ખસેડાયો અને મૃતકોના મૃતદેહોને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતને મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.