Western Times News

Gujarati News

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

મહેસાણા, ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારે ડેન્ગ્યૂના કારણે અવસાન થતા આજે સિદ્ધપુરમાં અંતિમવિધિ કરવામા આવી છે. તેમની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરવામાં આવી છે.

આજે સવારે ૮ વાગ્યે ઊંઝા ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડર બ્રિજ થઈ તેઓના ગામ વિસોળ ખાતે લઇ જવાઇ હતી ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવી હતી.

જે બાદ અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના સ્નેહીજની હાજરીમાં તેમના ભાઇએ વિધિ કરી હતી. આંખોમાં આંશુ સાથે આશાબેનના નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.

આજે વહેલી સવારે આશાબેનના પાર્થિવદેહને વતન વિસોલ ગામ લઇ જવામાં આવ્યો છે. ત્યાર બાદ સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આશાબેનના નિધન બાદ મહેસાણામાં શોકનો માહોલ છવાયો છે. ઊંઝા શહેરની બજારો, માર્કેટ યાર્ડ આજે બંધ રહેશે. વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને આશાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ડેન્ગ્યુને કારણે લિવર ડેમેજ થતાં આશાબેન પટેલને અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકાયા હતાં. આખરે ટૂંકી માંદગી બાદ રવિવારે બપોરે આશાબહેન પટેલનુ અવસાન થયુ હતું. આ ઘટનાને પગલે સમગ્ર ઉંઝા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ,રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ દુખ વ્યકત કર્યુ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.