ચાર ધામ પરિયોજના પર રોકનો સુપ્રીમનો ઈનકાર
નવી દિલ્હી, કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ચાર ધામ પરિયોજના પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ઓલ વેધર હાઈવે પ્રોજેક્ટના ભાગરુપે રસ્તાની પહોળાઈ વધારવા માટે તેમજ ડબલ લેન હાઈવે બનાવવા માટે કેન્દ્ર સરકારને લીલી ઝંડી આપી દીધઈ છે.એ પછી હવે ભારતની ચીન સાથે અડતી સરહદ સુધી પહોંચ આસાન થઈ જશે અને કોઈ પણ હવામાનમાં ભારતીય સેના હથિયારો સાથે આ બોર્ડર સુધી પહોંચી શકશે.
દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ યોજનાને મંજૂરી આપવાની સાથે સાથે પૂર્વ જજની અધ્યક્ષતામાં યોજના પર નજર રાખવા માટે એક નિરિક્ષણ કમિટી બનાવીને તંત્રને આ કમિટીને સહયોગ આપવા માટે પણ આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકાર આ યોજના થકી ચાર ધામ યમનોક્ષી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથને દરેક પ્રકારના હવામાનમાં કનેક્ટિવિટી આપવા માંગે છે.૯૦૦ કિમી લંબાઈ ધરાવતા રોડ પાછળ ૧૨૦૦૦ કરોડના ખર્ચનુ અનુમાન છે.
સરકાર આ યોજના હેઠળ હાલમાં જે રોડ છે તેની પહોળાઈ ૧૦ મીટર કરવા માંગે છે.દરમિયાન એક એનજીઓએ આ યોજના સામે પર્યાવરણને આગળ ધરીને સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ કરી હતી.જાેકે કોર્ટે આ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે.SSS