Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૮૯ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૮માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૮૯ નવા કેસ નોંધાયા છે અને ૩૮૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.૭૨૮૬.લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૭,૦૩૨પર પહોંચી છે.

રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૨૮૧ કેસ નોંધાયા છે અને ૩૪૨ સંક્રમિતોના મોત થયા છે.

ઓમિક્રોનના કુલ કેસ ૪૧૫ થયા છે. ૨૪ ડિસેમ્બરે ૬૬૫૦ કેસ અને ૩૭૪ સંક્રમિતોના મોત થયા હતા. ૨૩ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ અને ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૨ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ ૩૧૮ સંક્રમિતોના મોત થયા હતા. ૨૧ ડિસેમ્બરે ૫૩૨૬ નવા કેસ અને ૪૫૩ સંક્રમિતોના મોત થયા હતા.

૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા. ૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હબતહતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા.

૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૪૧, ૦૧, ૨૬, ૪૦૪ લોકોનું રસીકરણ થયું છે.

જેમાંથી ૬૬,૦૯,૧૧૩ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૧,૧૨,૧૯૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ૧૦૮, દિલ્હીમાં ૭૯, ગુજરાતમાં ૪૩, તેલંગાણામાં ૩૮, કેરળમાં ૩૭, તમિલનાડુમાં ૩૪, કર્ણાટકમાં ૩૧, રાજસ્થાનમાં ૨૨, હરિયાણામાં ૪, ઓડિશામાં ૪, આંધર્પરદેશમાં ૪, જમ્મુ-કાશ્મીરમાં ૩, પશ્ચિમ બંગાળામાં ૩, ઉત્તર પ્રદેશમાં ૨ ચંદીગઢમાં ૧, લદ્દાખમાં ૧ અને ઉત્તરાખંડમાં ૧ કેસ નોંધાયા છે. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા ૪૧૫ પર પહોંચી ગઇ હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશના ૧૭ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવો વેરિઅન્ટ પહોંચી ગયો છે અને ૧૧૫ લોકો સાજા થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.