Western Times News

Gujarati News

એર ઈન્ડિયાના નવા ચેરમેન તરીકે વિક્રમ દેવ દત્તની નિમણૂક

નવીદિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિક્રમ દેવ દત્તને એર ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. નોટિફિકેશન જારી કરતી વખતે સરકારે કહ્યું કે તેમને એડિશનલ સેક્રેટરીની પોસ્ટ અને વેતન મળશે. દત્ત અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશો) કેડરના ૧૯૯૩ બેચના આઇએએસ અધિકારી છે.

કેબિનેટની નિમણૂક સમિતિએ વિક્રમ દેવ દત્તને એર ઈન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મંજૂરી આપી છે. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમને એડિશનલ સેક્રેટરીના રેન્ક અને વેતનમાં એર ઈન્ડિયાના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના ૧૦૦ ટકા ઈક્વિટી શેર તેમજ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની છૈંજીછ્‌જીમાં તેના ૫૦ ટકા હિસ્સા માટે ટાટાની સૌથી વધુ બિડ સ્વીકારી હતી. સરકારે ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ટાટા ૨,૭૦૦ કરોડ રોકડમાં ચૂકવશે અને એરલાઇનનું ૧૫,૩૦૦ કરોડનું દેવું ચૂકવશે. અગાઉ દત્તને જૂન ૨૦૨૦માં દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.